“જગતની સાત ક્ષતિઓ”
એવું કહેવામાં આવ્યું છે કે મોહનદાસ ગાંધીએ એક યાદી બનાવી જેને તેમણે “જગતની સાત ક્ષતિઓ” નામ આપ્યું. એ નીચે આપ્યા પ્રમાણે છેઃ
• કામ વગરની કમાણી
• અંતઃકરણ વિનાનો આનંદ
• ચારિત્ર્ય વિનાનું જ્ઞાન
• નૈતિકતા વિનાનો વેપાર
• માનવતા વિનાનું વિજ્ઞાન
• બલિદાન વિનાની ઉપાસના
• સિદ્ધાંત વિનાનું રાજકારણ
તેમના પૌત્ર અરુણ ગાંધીએ આઠમી ક્ષતિ ઉમેર્યાનું કહેવાય છેઃ
• જવાબદારી વિનાના હક્કો
કદાચ તમે કેટલીક નવી સૂચવી શકો, પરંતુ આ યાદી નિશ્ચે વિચારોત્તેજક છે. આ “ક્ષતિઓ”નો બાઇબલનો જવાબ બે આજ્ઞાઓમાં સંક્ષિપ્તમાં સમાવવામાં આવ્યો છે: “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”—માત્થી ૨૨:૩૭-૪૦, NW.
[Caption on page ૨૪]
UPI/Corbis-Bettmann