વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૬/૧૫ પાન ૩૧
  • ખાનગી બાબત કયારે જણાવવી જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખાનગી બાબત કયારે જણાવવી જોઈએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૬/૧૫ પાન ૩૧

ખાનગી બાબત કયારે જણાવવી જોઈએ?

અમુક બાબતોને ખાનગી રાખવી ઘણી મહત્વની છે. જો આપણે બાબતો ખાનગી નહીં રાખીએ તો તકરાર ઊભી થઈ શકે. પરંતુ એવો કોઈ સમય છે જ્યારે ખાનગી બાબતો જણાવવી જોઈએ? જવાબમાં, પ્રબોધક આમોસ પરમેશ્વર વિષે જણાવે છે: “ખચીત પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.” (આમોસ ૩:૭) આ શબ્દો, બાબતો ખાનગી રાખવા વિષે આપણને કંઈક શીખવે છે. પરમેશ્વર યહોવાહ બાબતોને કાયમ ખાનગી રાખશે નહી. પરંતુ યોગ્ય સમયે તે પોતાના સેવકોને પ્રગટ કરશે. આપણે પોતે યહોવાહનો દાખલો કઈ રીતે લઈ શકીએ?

ઘણી વખતે, ખ્રિસ્તી મંડળના વડીલો સારા કારણોને લીધે અમુક બાબતોને ખાનગી રાખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) જેમ કે મંડળની જવાબદારીઓમાં થયેલા ફેરફારો તેઓ અમુક સમય પછી જ જાહેર કરશે.

જો કોઈ ખાનગી બાબત કહેવી પડે તો દરેક વડીલે નોંધ લેવી જોઈએ કે એ ક્યારે અને કઈ રીતે કહેવામાં આવશે. આમ કરવાથી તેઓ બાબતોને યોગ્ય સમય સુધી ખાનગી રાખી શકશે.​—⁠નીતિવચનો ૨૫:⁠૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો