વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૦ પાન ૨૩
  • ‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’
  • સજાગ બનો!—૨૦૧૦
  • સરખી માહિતી
  • મુશ્કેલીઓમાં પણ ટકી રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મુંબઈની આફતથી માંડ માંડ બચ્યા
    સજાગ બનો!—૨૦૦૭
સજાગ બનો!—૨૦૧૦
g ૭/૧૦ પાન ૨૩

‘સજાગ બનો! મૅગેઝિને મારું જીવન બચાવ્યું’

● મેક્સિકોની અનિતા નામની સ્ત્રીને ત્રણ બાળકો હતા. તે હવે ફરીથી મા બનવાની હતી.* તેણે તેના પતિને કહ્યું તેને આ બાળક જોઈતું નથી. કોઈ પણ રીતે એનો નિકાલ કરવા માગે છે. અરે તેણે આપઘાત કરવાની પણ ધમકી આપી! એ વખતે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતી હતી પણ બહુ પ્રગતિ કરતી ન હતી. તેણે કહ્યું: ‘હું ઘમંડી હતી એટલે બહુ કંઈ ધ્યાન આપતી ન હતી.’

યહોવાહની સાક્ષી બહેને અનિતા સાથે બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. દાખલા તરીકે, કૂખમાંના બાળકનું જીવન પણ પરમેશ્વરની નજરમાં કીમતી છે. પ્રાચીન ઈસ્રાએલમાં ગર્ભવતી સ્ત્રીને કોઈ ઇજા પહોંચાડે અને તેનું મોત થાય કે પછી ગર્ભપાત થઈ જાય તો પરમેશ્વરના નિયમ મુજબ ઇજા કરનારો ખૂની ગણાતો. (નિર્ગમન ૨૧:૨૨, ૨૩)# પણ અનિતાએ એ સિદ્ધાંતો પર ધ્યાન આપ્યું ન હતું. તેને તો બસ ગર્ભપાત જ કરાવવો હતો.

અનિતાએ કહ્યું, ‘કોઈએ મને સલાહ આપી કે એક ખાસ દવાનું ઇંજેક્શન લઈશ, તો તરત જ ગર્ભપાત થઈ જશે. એટલે મેં ઇંજેક્શન લાવીને મારા ફ્રેન્ડને એ મૂકવા કહ્યું. તેણે મૂક્યું પણ કંઈ થયું નહિ. પાછળથી મને ખબર પડી કે તેણે દવાને બદલે પાણીનું ઇંજેક્શન આપ્યું હતું. ખરેખર તો તેને બાળકનો નિકાલ કરવામાં મને સાથ આપવો ન હતો.’

જોકે હજુ પણ અનિતાને ગર્ભપાત કરાવવો જ હતો. ચોથો મહિનો ચાલતો હતો ત્યારે એક ડૉક્ટર ગર્ભપાત કરવા તૈયાર થયો. ગર્ભપાત કરવાનો હતો એના છ દિવસ પહેલા યહોવાહની સાક્ષી બહેને તેને “ગર્ભમાં રહેલા બાળકની ડાયરી”નો લેખ વાંચવા આપ્યો. (મે ૨૨, ૧૯૮૦નું અંગ્રેજી સજાગ બનો!) એ લેખના અંતમાં એક વાક્ય હતું: “આજે મારી મમ્મીએ મને મારી નાખી.” આ શબ્દો વાંચીને અનિતાનું દિલ હચમચી ગયું. તે કલાકોના કલાકો રડ્યા કરી. તેણે કહ્યું “એ લેખે મારી આંખો ખોલી નાખી.”

અનિતાએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો. તે કહે છે “હવે હું યહોવાહ પરમેશ્વરને ખરા દિલથી પ્રેમ કરું છું.” પોતાની દીકરીને પણ બાઇબલમાંથી શીખવે છે, જેથી તે યહોવાહને ભજી શકે. યહોવાહે પોતાને જીવન આપ્યું એ માટે દીકરી તેમનો બહુ જ આભાર માને છે. બીજું કે સજાગ બનો!માં બાઇબલના સિદ્ધાંતોને લીધે તેનું જીવન બચી ગયું. એ માટે એ દીકરી દિલથી બાઇબલની પણ કદર કરે છે. (g10-E 02)

[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]

* નામ બદલવામાં આવ્યું છે.

[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]

# બાઇબલની મૂળ ભાષામાં એ કલમોનો અર્થ એ હતો કે માતા કે બાળક કોઈનું પણ મોત થાય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો