વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૪ પાન ૮
  • ૨ મદદ મળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨ મદદ મળે છે
  • સજાગ બનો!—૨૦૧૪
  • સરખી માહિતી
  • યુવાનો પૂછે છે . . . જીવીને શું ફાયદો?
    સજાગ બનો!—૨૦૦૮
  • ડિપ્રેશન
    સજાગ બનો!—૨૦૧૪
  • શા માટે હું આટલો ઉદાસીન બની જાઉં છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૪
g ૭/૧૪ પાન ૮

મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

૨ મદદ મળે છે

‘તમારી સર્વ ચિંતા ઈશ્વર પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

એવું લાગે કે સંજોગો સુધારવા તમારા હાથમાં નથી ત્યારે, જીવન ટૂંકાવી નાખવાનો વિચાર આવી શકે. પણ, ચાલો તમને મદદ કરે એવી અમુક ગોઠવણ તપાસીએ.

પ્રાર્થના. એવું નથી કે મનને મનાવવા ખાતર કે નાછૂટકે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના કરવાથી આપણે યહોવા ઈશ્વર સાથે વાત કરીએ છીએ, જે આપણી ચિંતા કરે છે. યહોવા ચાહે છે કે તમે તમારી ચિંતાઓ તેમના પર ઠાલવો. હકીકતમાં, બાઇબલ આપણને આમ કરવાનું ઉત્તેજન આપે છે: “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

કેમ નહિ કે આજે ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરો? યહોવા ઈશ્વરનું નામ લઈને દિલ ખોલીને પ્રાર્થના કરો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) યહોવા ચાહે કે તમે તેમને મિત્ર તરીકે ઓળખો. (યશાયા ૫૫:૬; યાકૂબ ૨:૨૩) પ્રાર્થના એવી એક ગોઠવણ છે જેના દ્વારા, તમે યહોવા સાથે કોઈ પણ સમયે અને જગ્યાએ વાત કરી શકો છો.

આત્મહત્યા રોકતી અમેરિકાની એક સંસ્થા આમ જણાવે છે: ‘અભ્યાસ પરથી વારંવાર જોવા મળ્યું છે કે આત્મહત્યા કરનારાઓમાં ૯૦ ટકા કે એનાથી વધારે લોકો માનસિક બીમારીથી પીડાતા હતા. જોકે, મોટાભાગના લોકો એ બીમારીથી અજાણ હતા, પૂરતી માહિતી ન હતી કે સારવાર મળી ન હતી.’

તમને ચાહતા લોકો. બીજાઓ માટે પણ તમારું જીવન બહુ કીમતી છે. જેમ કે, કુટુંબના સભ્યો કે મિત્રો, જેઓને તમારા પર પ્રેમ છે. તેમ જ, એવા લોકો, જેઓને તમે ક્યારેય મળ્યા નથી. દાખલા તરીકે, સેવાકાર્યમાં અમુક વખતે યહોવાના સાક્ષીઓને એવા લોકોને મળ્યા છે, જેઓ જીવનથી નિરાશ થઈ ગયા હોય. અમુકે કબૂલ્યું છે કે તેઓને મદદની જરૂર હતી અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. એવા લોકોને મદદ કરવાની અજોડ તક યહોવાના સાક્ષીઓને ઘર-ઘરના સેવાકાર્યમાં મળી છે. ઈસુના પગલે ચાલતા સાક્ષીઓ પોતાના પાડોશીઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તમને પણ ખૂબ પ્રેમ કરે છે.—યોહાન ૧૩:૩૫.

ડૉક્ટરની મદદ લો. જીવન ટૂંકાવવાના વિચારો આવે તો મોટા ભાગે માનસિક બીમારી હોય શકે. જેમ કે, ડિપ્રેશન. શારીરિક બીમારીની જેમ માનસિક બીમારી વિશે પણ શરમાવાની જરૂર નથી. અમુક નિષ્ણાતો ડિપ્રેશનને “શરદી સાથે સરખાવે છે.” શરદીની જેમ કોઈ પણ વ્યક્તિને જીવનના અમુક સંજોગોમાં ડિપ્રેશન થઈ શકે છે અને સારવારથી મટાડી શકાય છે.a

યાદ રાખો: તમે જાતે ડિપ્રેશનમાંથી બહાર આવો એ મોટાભાગે શક્ય નથી. પણ કોઈની મદદથી તમે સફળ થઈ શકો છો.

તમે શું કરશો: ડિપ્રેશન જેવી માનસિક બીમારીની સારવાર કરતા હોય એવા સારા ડૉક્ટરની શોધ કરો.

a જો તમને વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવે તો, તપાસ કરો કે ક્યાંથી મદદ મળી શકે. જેમ કે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન અથવા હૉસ્પિટલ. ત્યાં તાલીમ પામેલા લોકો હોય છે જેઓ તમને જરૂરી સલાહસૂચન આપી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો