ફૂટનોટ
b બાઇબલના ટીકાકારોનું કહેવું છે કે આ બનાવ સારી વાત જ કરે છે. મીઠું કોઈ ચીજને બગડી જતા રોકે છે. એટલે મૃત સરોવરના વિસ્તારમાં લાંબા સમયથી મીઠાનો ધમધોકાર વેપાર ચાલે છે. પણ ધ્યાન આપો કે અહેવાલ બતાવે છે કે એ ખાબોચિયાં અથવા એ જગ્યાઓ મીઠી થશે નહિ. યહોવાના મંદિરમાંથી વહેતી નદીનું જીવન આપનાર પાણી તેઓ સુધી પહોંચશે નહિ. એટલે તેઓ ‘ખારા જ રહેશે.’ એમાં કોઈ પ્રાણી કે માછલી રહેશે નહિ. આ અહેવાલમાં ખારાશ કોઈ સારી નહિ, પણ ખરાબ વાતને રજૂ કરે છે. —ગીત. ૧૦૭:૩૩, ૩૪; યર્મિ. ૧૭:૬.