ફૂટનોટ
b અમુક નામો બદલવામાં આવ્યાં છે.
[પાન ૨૫ પર બોક્સ]
તમારા બાળકને નાનપણથી શીખવો
‘યુવાનીના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.’ (ગીતશાસ્ત્ર ૧૨૭:૪) બાણ પોતાના નિશાને આપોઆપ પહોંચી જતું નથી, પણ એને નિશાન પર તાકવું પડે છે. એમ જ, માબાપે બાળકોને પહેલેથી જ તૈયાર કરવા પડે છે. જેથી, બાળકોને ઘર છોડવું પડે તોપણ, તેઓ મુશ્કેલીઓનો સામનો કરી શકે.—નીતિવચનો ૨૨:૬.
યુવાનો સહેલાઈથી “જુવાનીની વાસનાઓ” કે ખોટું કરવામાં ફસાઈ જઈ શકે છે. (૨ તીમોથી ૨:૨૨, સંપૂર્ણ બાઇબલ) તેથી, બાઇબલ ચેતવે છે: “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચનો ૨૯:૧૫) જે માબાપ પોતાનાં બાળકોને મન ફાવે તેમ કરવા દે છે, તેઓને ઘર છોડવાનું થાય છે ત્યારે બહુ તકલીફ પડે છે.
તેથી, એ ખૂબ જરૂરી છે કે માબાપ નાનપણથી જ પોતાના બાળકોને જીવનની તકલીફો કે મુશ્કેલીઓ માટે તૈયાર કરે. તેઓને સમજાવે કે ઘર બહારની દુનિયા કેવી છે. જેથી યુવાનો ઘર છોડે તોપણ મુશ્કેલીઓ પર જીત મેળવી શકે છે. આવી તૈયારીની સાથે સાથે યહોવાહનું શિક્ષણ આપવાથી, “ભોળાને ચતુરાઇ, જુવાન પુરુષને વિદ્યા તથા વિવેકબુદ્ધિ મળે” છે.—નીતિવચનો ૧:૪.
જે માબાપ પોતાનાં બાળકોને યહોવાહના સિદ્ધાંતો શીખવે છે, તે બાળકો મોટા ભાગે જિંદગીની સફરમાં પોતાની મંઝિલે પહોંચવા સફળ થાય છે. ઉપરાંત, રોજ જોડે બેસી બાઇબલમાંથી શિક્ષણ લો. ખુલ્લાં મને વાતચીત કરો અને એકબીજાને કેટલું ચાહો છો એ જણાવો. એ રીતે, બાળક પોતે સાચા-ખોટાનો નિર્ણય લઈ શકશે. એ જ સમયે, માબાપે સમજી-વિચારીને દેવના માર્ગદર્શન પ્રમાણે પોતાના બાળકોને મોટા કરવા જોઈએ, જેથી તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે. માબાપ પોતાના દાખલાથી બતાવી શકે છે કે આ જગતમાં રહીને પણ જગતથી દૂર રહી શકાય છે.—યોહાન ૧૭:૧૫, ૧૬.
[પાન ૨૩ પર ચિત્ર]
ઘણાં યુવાનોને પોતાના ઘર કે કુટુંબથી દૂર રહેવું પડે છે
[પાન ૨૪ પર ચિત્ર]
યુસફની જેમ યુવાનો ગમે એવી લાલચમાં મક્કમ રહી શકે છે
[પાન ૨૬ પર ચિત્ર]
નાનકડી ઈસ્રાએલી છોકરીની જેમ યહોવાહ વિષે વાત કરીને તેમનું નામ રોશન કરો