-
શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
-
-
વિષયચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
વિષય
નં. ૧ ૨૦૧૬
© 2016 Watch Tower Bible and Tract Society of Pennsylvania
મુખ્ય વિષય
શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
પાન ૩-૮
લોકો શા માટે પ્રાર્થના કરે છે? ૩
શું કોઈ પ્રાર્થના સાંભળે છે? ૪
ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે? ૫
પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે? ૬
આ અંકમાં
શું આપણે ઈશ્વરને ઓળખી શકીએ? ૧૨
ઓનલાઇન વધારે વાંચો
(BIBLE TEACHINGS > BIBLE QUESTIONS ANSWERED વિભાગ જુઓ)
-
-
લોકો શા માટે પ્રાર્થના કરે છે?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
લોકો શા માટે પ્રાર્થના કરે છે?
“મને જુગાર રમ્યા વગર જરાય ચાલતું ન હતું. ઢગલો પૈસા જીતવા હું પ્રાર્થના કરતો. પણ, એવું ક્યારેય બન્યું નહિ.”—સેમ્યુલ,a કેન્યા.
“સ્કૂલમાં અમારે ગોખેલી પ્રાર્થના જ બોલવાની હતી.”—ટેરેસા, ફિલિપાઇન્સ.
“મારા પર તકલીફો આવે ત્યારે હું પ્રાર્થના કરું છું. એક સારી ખ્રિસ્તી વ્યક્તિ બનવા અને મારાં પાપોની માફી માંગવા હું પ્રાર્થના કરું છું.”—મેગ્દાલેન, ઘાના.
સેમ્યુલ, ટેરેસા અને મેગ્દાલેનના શબ્દો પરથી જોઈ શકાય કે, લોકો અલગ અલગ કારણોને લીધે પ્રાર્થના કરે છે. અમુક લોકો દિલથી પ્રાર્થના કરે છે. જ્યારે કે, બીજા કેટલાક કરવા ખાતર પ્રાર્થના કરે છે. જોકે, કરોડો લોકોને લાગે છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. તેઓ આવાં કારણો માટે પ્રાર્થના કરે છે. જેમ કે, પરીક્ષામાં પાસ થવા, રમતમાં તેઓની મનગમતી ટીમ જીતે એ માટે, કુટુંબને સારી રીતે ચલાવવા ઈશ્વરના માર્ગદર્શન માટે અને એવાં બીજાં હજારો કારણ માટે. એક સર્વે બતાવે છે કે, જેઓને ધર્મમાં કોઈ રસ નથી તેઓ પણ નિયમિત પ્રાર્થના કરે છે.
શું તમે પ્રાર્થના કરો છો? તમે શાની માટે પ્રાર્થના કરો છો? પ્રાર્થના કરતી વખતે કદાચ તમને થાય, ‘શું પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો છે? શું મારી પ્રાર્થના કોઈ સાંભળે છે?’ એક લેખકે પ્રાર્થના વિશે પોતાનો વિચાર જણાવતા કહ્યું કે, “એ તો એક પ્રકારની સારવાર છે.” અમુક ડૉક્ટરો પણ એવું જ માને છે. તેઓ પ્રાર્થનાને “એક પ્રકારની દવા” કહે છે. પ્રાર્થના કરવી શું લોકો માટે ફક્ત રોજિંદા જીવનનો એક ભાગ છે? કે પછી, શું એ કોઈ સારવાર છે?
પ્રાર્થના એટલા પૂરતી સીમિત નથી. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, પ્રાર્થના સારવાર કરતાં કંઈક વધારે છે. એમાં જણાવ્યું છે કે, યોગ્ય રીતે અને યોગ્ય બાબત માટે પ્રાર્થના કરવામાં આવે તો, કોઈક એને ખરેખર સાંભળે છે. શું એ સાચું છે? ચાલો, એના પુરાવા જોઈએ. (w15-E 10/01)
a અમુક નામ બદલ્યાં છે.
-
-
શું કોઈ પ્રાર્થના સાંભળે છે?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
શું કોઈ પ્રાર્થના સાંભળે છે?
અમુક લોકોને લાગે છે કે, પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી. કેમ કે, કોઈ એને સાંભળતું નથી. બીજા કેટલાકે પ્રાર્થના કરી છે, પરંતુ તેઓને એનો જવાબ મળ્યો નથી. એક નાસ્તિક વ્યક્તિએ પોતાના મનમાં ઈશ્વરને ધારી લીધા અને પછી પ્રાર્થનામાં કહ્યું: ‘મારા કાનમાં ધીરેથી કંઈક કહો.’ તે વ્યક્તિ આગળ જણાવે છે કે, ઈશ્વરે મને ‘કંઈ જ ન કહ્યું.’
જોકે, પવિત્ર શાસ્ત્ર આપણને ખાતરી આપે છે કે, ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. એક શાસ્ત્રવચન જણાવે છે કે, “તારા પોકારનો અવાજ સાંભળીને તે [ઈશ્વર] તારા પર દયા કરશે જ કરશે; તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.” (યશાયા ૩૦:૧૯) બીજું એક શાસ્ત્રવચન જણાવે છે કે, ‘પ્રામાણિક વ્યક્તિની પ્રાર્થનાથી ઈશ્વરને આનંદ થાય છે.’—નીતિવચનો ૧૫:૮.
ઈસુએ તેમના પિતાને પ્રાર્થના કરી અને ‘તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.’—હિબ્રૂ ૫:૭
શાસ્ત્રમાં એવા અમુક લોકો વિશે જણાવવામાં આવ્યું છે, જેઓની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. એક શાસ્ત્રવચન જણાવે છે કે, ઈસુએ ‘મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. તેમણે ઈશ્વરનો ડર રાખ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી.’ (હિબ્રૂ ૫:૭) બીજા દાખલાઓ આપણને દાનીયેલ ૯:૨૧ અને ૨ કાળવૃત્તાંત ૭:૧માં જોવા મળે છે.
તો પછી, શા માટે અમુકને લાગે છે કે તેઓની પ્રાર્થના સાંભળવામાં નથી આવતી? આપણી પ્રાર્થના સાંભળવામાં આવે માટે જરૂરી છે કે, પૂર્વજો અને બીજા કોઈ દેવોને નહિ પણ ફક્ત યહોવાa ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઈશ્વર ચાહે છે કે આપણે ‘તેમની ઇચ્છા પ્રમાણે માંગીએ.’ તે ખાતરી આપે છે કે, એ રીતે પ્રાર્થના કરીશું તો તે આપણું સાંભળશે.’ (૧ યોહાન ૫:૧૪) તેથી, આપણી પ્રાર્થના સાંભળવામાં આવે માટે સાચા ઈશ્વર વિશે જાણીએ અને તેમની ઇચ્છા શું છે એ શીખીએ.
ઘણા લોકો માને છે કે, પ્રાર્થના ફક્ત એક ધાર્મિક વિધિ નથી. પરંતુ, ઈશ્વર ખરેખર આપણી પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ પણ આપે છે. કેન્યામાં રહેતા આઈઝેક જણાવે છે કે, ‘બાઇબલ સમજવા મેં પ્રાર્થના કરી. એના થોડા સમયમાં મારી પાસે એક વ્યક્તિ આવી અને બાઇબલ સમજવા મને મદદ આપી.’ ફિલિપાઇન્સમાં રહેતી હિલ્ડાનો વિચાર કરો. તેણે સિગારેટ છોડવાનો ઘણી વાર પ્રયત્ન કર્યો. પણ, તે નિષ્ફળ ગઈ. તેના પતિએ સૂચવ્યું, ‘કેમ નહિ તું ઈશ્વર પાસે મદદ માંગે?’ એ સલાહ લાગુ પાડ્યા પછી તે જણાવે છે કે, ‘માનવામાં નથી આવતું એ રીતે મને મદદ મળી છે. મને જાણે એવું લાગ્યું કે, સિગારેટ પીવાની મારી ઇચ્છા જતી રહી છે. હું એ આદત છોડી શકી.’
તમારી ચિંતાઓ દૂર કરવામાં શું ઈશ્વરને કોઈ રસ છે? (w15-E 10/01)
a પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.
-
-
ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
ઈશ્વર કેમ આપણને પ્રાર્થના કરવા કહે છે?
ઈશ્વર દોસ્તીનો હાથ લંબાવે છે.
સારા સંબંધો જાળવી રાખવા દોસ્તો એકબીજા સાથે વાતચીત કરતા રહે છે. એવી જ રીતે, ઈશ્વર પણ આપણને તેમની સાથે વાત કરવા આમંત્રણ આપે છે, જેથી તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી શકીએ. ઈશ્વર જણાવે છે, ‘તમે મને હાંક મારશો, અને તમે મને પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.’ (યિર્મેયા ૨૯:૧૨) ઈશ્વર સાથે વાત કરતા રહેશો તેમ, ‘તમે તેમની પાસે જશો અને તે તમારી પાસે આવશે.’ (યાકૂબ ૪:૮) પવિત્ર શાસ્ત્ર ખાતરી આપે છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮) આપણે જેટલી વધારે પ્રાર્થના કરીએ, એટલી ઈશ્વર સાથેની મિત્રતા ગાઢ બને છે.
‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮
ઈશ્વર તમને મદદ કરવા ચાહે છે.
ઈસુએ કહ્યું: ‘તમારામાં એવો કયો માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે, તો તેને સાપ આપશે? એ માટે જો તમે તમારાં બાળકોને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતા પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?’ (માથ્થી ૭:૯-૧૧) હા, ઈશ્વર ચાહે છે કે તમે તેમને પ્રાર્થના કરો. કેમ કે, “તે તમારી સંભાળ રાખે છે” અને મદદ કરવા ચાહે છે. (૧ પીતર ૫:૭) ઈશ્વર એ પણ ચાહે છે કે આપણે પોતાની તકલીફો તેમને જણાવીએ. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિપી ૪:૬.
મનુષ્યોને ભક્તિની ભૂખ છે.
મનુષ્યોના સ્વભાવ પર અભ્યાસ કરતા નિષ્ણાતોને જોવા મળ્યું છે કે, કરોડો લોકોને પ્રાર્થના કરવાની જરૂર લાગે છે. અરે, જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ પણ પ્રાર્થના કરે છે.a એ બતાવે છે કે મનુષ્યોને ભક્તિની ભૂખ સાથે બનાવવામાં આવ્યા હતા. ઈસુએ જણાવ્યું હતું: “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે.” (માથ્થી ૫:૩, ઈઝી-ટુ-રીડ-વર્ઝન) ભક્તિની ભૂખ સંતોષવાની એક રીત છે કે, આપણે ઈશ્વર સાથે નિયમિત વાત કરીએ.
ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરવાથી કેવા ફાયદા થઈ શકે? (w15-E 10/01)
a સાલ ૨૦૧૨માં કરેલા એક સર્વે મુજબ અમેરિકામાં રહેતા નાસ્તિકોમાંના ૧૧ ટકા લોકો મહિનામાં ઓછામાં ઓછી એક વાર પ્રાર્થના કરે છે.—પ્યુ રિસર્ચ સેન્ટર.
-
-
પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
-
-
મુખ્ય વિષય | શું આપણે પ્રાર્થના કરવી જોઈએ?
પ્રાર્થના—તમને કઈ રીતે મદદ કરી શકે?
કોઈ કામ શરૂ કરતા પહેલાં તમે કદાચ વિચારશો, ‘એનાથી મને શું ફાયદો થશે?’ પ્રાર્થના માટે એમ વિચારવું શું સ્વાર્થી કહેવાય? ના, એવું નથી. આપણે ચોક્કસ જાણવા માંગીશું કે એનાથી શું ફાયદો થાય છે. ઈશ્વરભક્ત અયૂબે પણ પૂછ્યું હતું: “જો હું તેમને બોલાવું, તો શું તે મને જવાબ આપશે?”—અયૂબ ૯:૧૬, NW.
આગલા લેખોમાં જોઈ ગયા તેમ, પ્રાર્થના ફક્ત એક ધાર્મિક વિધિ અથવા સારવાર જ નથી. પરંતુ, એમાં ઘણું બધું સમાયેલું છે. આપણે યોગ્ય રીતે અને યોગ્ય બાબત માટે પ્રાર્થના કરીએ તો, સાચા ઈશ્વર ખરેખર આપણી પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. હકીકતમાં, ઈશ્વર ચાહે છે કે આપણે તેમની સાથે નજીકનો સંબંધ બાંધીએ. (યાકૂબ ૪:૮) તેથી, જો આપણે પ્રાર્થનાને જીવનનો ભાગ બનાવીશું, તો બદલામાં શું મેળવીશું? ચાલો, એના અમુક ફાયદા જોઈએ.
મનની શાંતિ.
મુશ્કેલીઓ આવે ત્યારે, શું આપણે ચિંતામાં ડૂબી જઈએ છીએ? શાસ્ત્ર આપણને ઉત્તેજન આપે છે કે, એવા અઘરા સંજોગોમાં “નિત્ય પ્રાર્થના” કરીએ અને આપણી “અરજો ઈશ્વરને” જણાવીએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; ફિલિપી ૪:૬) શાસ્ત્ર ખાતરી આપે છે કે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું તો, ‘ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુ દ્વારા આપણાં હૃદયની અને મનની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૭) સ્વર્ગમાંના પિતા આગળ આપણું દિલ ઠાલવીશું તો, અમુક હદે આપણને રાહત મળશે. ગીતશાસ્ત્ર ૫૫:૨૨માંથી ઉત્તેજન મળે છે કે, “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”
“તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨
આખી દુનિયામાં ઘણા લોકોએ એ શાંતિનો અનુભવ કર્યો છે. દક્ષિણ કોરિયામાં રહેતાં હી રૅન બહેન કહે છે: “ગંભીર મુશ્કેલીઓ હોય તોપણ, એ વિશે પ્રાર્થનામાં જણાવવાથી મને રાહત મળે છે. જાણે એ મુશ્કેલી સહન કરવાની શક્તિ મળે છે.” ફિલિપાઇન્સમાં રહેતાં સિસિલ્યા બહેન જણાવે છે: “મારી દીકરીઓ અને મમ્મીની મને બહુ ચિંતા થાય છે. બીમારીને લીધે મારાં મમ્મી મને ઓળખી પણ નથી શકતાં. પરંતુ, પ્રાર્થના કરવાથી રોજિંદા જીવનમાં મારી ચિંતાઓ હળવી થઈ છે. હું જાણું છું કે તેઓની સંભાળ રાખવા યહોવા મને મદદ કરશે.”
મુશ્કેલીઓમાં દિલાસો અને હિંમત.
શું તમે તણાવમાં છો? બની શકે કે, તમારું જીવન જોખમમાં છે અથવા તમે કરુણ બનાવોનો સામનો કરી રહ્યા છો. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, ઈશ્વર ‘સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે.’ તેથી, ‘સર્વ દિલાસાના ઈશ્વરને’ પ્રાર્થના કરવાથી ચોક્કસ મનની શાંતિ મળે છે. (૨ કોરીંથી ૧:૩, ૪) ઈસુનો વિચાર કરો. એકવાર તે ઘણા તણાવમાં હતા ત્યારે, ‘ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરી.’ એનું પરિણામ શું આવ્યું? ‘આકાશમાંથી એક દૂત તેમને હિંમત આપતા દેખાયો.’ (લુક ૨૨:૪૧, ૪૩) વફાદાર નહેમ્યા પૂરા દિલથી ઈશ્વરનું કામ કરતા હતા. એ કામ અટકાવવા માંગતા દુષ્ટ લોકોની ધમકીઓ તેમણે સહન કરી. તેમણે પ્રાર્થનામાં કહ્યું: ‘હે ઈશ્વર, મારા હાથ તમે બળવાન કરો.’ એ પછીના બનાવો બતાવે છે કે, ઈશ્વરે નહેમ્યાને ડર પર જીત મેળવવા અને કામમાં સફળ થવા મદદ કરી હતી. (નહેમ્યા ૬:૯-૧૬) ઘાનામાં રહેતા રેઝિનાલ્ડ ભાઈએ પ્રાર્થના વિશે પોતાનો અનુભવ જણાવતા કહ્યું: “હું પ્રાર્થના કરું છું ત્યારે મને દિલાસો મળે છે, ખાસ કરીને મુશ્કેલ સંજોગોમાં. એ વખતે એવું લાગે છે કે, હું મારી તકલીફો એવી વ્યક્તિને જણાવી રહ્યો છું જે મને મદદ કરી શકે છે. તે મને ખાતરી આપે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” હા, ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે, તે આપણને દિલાસો આપે છે.
ઈશ્વર તરફથી જ્ઞાન.
આપણા અમુક નિર્ણયોની અસર આપણા પર અને આપણા પ્રિયજનો પર થાય છે. તેથી, આપણે કઈ રીતે સારા નિર્ણયો લઈ શકીએ? પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય [ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરતી વખતે], તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે; એટલે તેને તે આપવામાં આવશે.” (યાકૂબ ૧:૫) જો આપણે જ્ઞાન અને ડહાપણ મેળવવા પ્રાર્થના કરીશું, તો સારા નિર્ણયો લેવા ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ આપશે. આપણે પવિત્ર શક્તિ મેળવવા માટે ખાસ પ્રાર્થના કરી શકીએ. કેમ કે, ઈસુએ ખાતરી આપતા કહ્યું હતું કે, ‘આકાશમાંના પિતાની પાસેથી જેઓ માંગે, તેઓને તે પવિત્ર શક્તિ આપશે.’—લુક ૧૧:૧૩.
“મેં માર્ગદર્શન માટે યહોવાને સતત પ્રાર્થના કરી, જેથી સારો નિર્ણય લઈ શકું.”—ભાઈ ક્વાબેના, ઘાના
અરે, ઈસુએ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માંગી હતી. શાસ્ત્ર જણાવે છે કે, ઈસુએ ૧૨ શિષ્યોની પસંદગી કરતા પહેલાં ‘ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત કાઢી હતી.’—લુક ૬:૧૨.
ઈસુને સારા નિર્ણયો લેવા ઈશ્વરે મદદ કરી હતી. એવી જ રીતે, આજે ઘણા લોકોને ખાતરી મળી છે કે સારા નિર્ણયો લેવા ઈશ્વરે તેઓને મદદ કરી છે. ફિલિપાઇન્સમાં રહેતાં બહેન રેજિનાએ જુદી જુદી તકલીફોનો સામનો કર્યો છે. તેમના પતિનું અવસાન થયું અને કુટુંબની જવાબદારીઓ તેમના માથે આવી. તેમણે નોકરી ગુમાવી અને બાળકોનાં ઉછેરમાં તેમને મુશ્કેલીઓ પડી. સારા નિર્ણયો લેવા તેમને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘મેં યહોવાને પ્રાર્થના કરી અને તેમના પર ભરોસો રાખ્યો.’ ઘાનામાં રહેતા ભાઈ ક્વાબેનાનો વિચાર કરો. તે જણાવે છે, “મેં બાંધકામ કરનાર કંપનીમાં સારા પગારની નોકરી ગુમાવી દીધી.” બીજી નોકરીની પસંદગી કરતી વખતે તેમણે યહોવા પાસે મદદ માંગી. તે જણાવે છે, “મેં માર્ગદર્શન માટે યહોવાને સતત પ્રાર્થના કરી, જેથી સારો નિર્ણય લઈ શકું.” તે આગળ જણાવે છે, “મને પૂરી ખાતરી છે કે યહોવાએ મને એવી નોકરી મેળવવા મદદ કરી, જેનાથી હું ભક્તિને લગતી અને જીવનની જરૂરિયાતો પૂરી કરી શક્યો.” ઈશ્વર સાથેનો સંબંધ નબળો પાડે એવી કોઈ પણ બાબતનો સામનો કરવા તમે પ્રાર્થના કરી શકો. તમે ચોક્કસ ઈશ્વરના માર્ગદર્શનનો અનુભવ કરશો.
પ્રાર્થના તમને કઈ રીતે મદદ કરી શકે છે એ વિશે આપણે અમુક બાબતોની ચર્ચા કરી. (વધુ માહિતી માટે, “પ્રાર્થના કરવાના ફાયદા” બૉક્સ જુઓ.) એવી મદદ મેળવવા, સૌથી પહેલા તો ઈશ્વર અને તેમની ઇચ્છા વિશે જાણો. એ માટે, તમને યહોવાના સાક્ષીઓ પાસેથી ઈશ્વર વિશે શીખવા ઉત્તેજન આપીએ છીએ.a “પ્રાર્થનાના સાંભળનાર” ઈશ્વર સાથે નજીકનો સંબંધ બાંધવાનું એ પહેલું પગલું છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨. (w15-E 10/01)
a વધારે માહિતી માટે તમારા વિસ્તારમાં રહેતા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરી શકો અથવા આ વેબસાઇટ જુઓ: www.pr418.com/gu
-