વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૪૭-૪૯
  • દયા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દયા
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૪૭-૪૯

દયા

દયા બતાવવામાં શાનો સમાવેશ થાય છે?

  • એને લગતા અહેવાલ:

    • ગી ૫૧:૧, ૨—દાઉદ રાજા યહોવા પાસે દયાની ભીખ માંગે છે. તેમના કહેવાનો અર્થ હતો કે યહોવા તેમને માફ કરે અને તેમનાં પાપથી તેમને શુદ્ધ કરે

    • લૂક ૧૦:૨૯-૩૭—આપણે કઈ રીતે દયા બતાવવી જોઈએ એ શીખવવા ઈસુ ભલા સમરૂનીનું ઉદાહરણ આપે છે. એ સમરૂની એક યહૂદીને મદદ કરે છે અને તેની સંભાળ રાખે છે

શા માટે બધા માણસોને દયાની જરૂર છે?

ગી ૧૩૦:૩; સભા ૭:૨૦; ૧યો ૧:૮

આ પણ જુઓ: ૧રા ૮:૪૬-૫૦

આપણે કઈ રીતે જાણીએ છીએ કે યહોવા દયાળુ છે?

નિર્ગ ૩૪:૬; નહે ૯:૧૭; ગી ૧૦૩:૮; ૨કો ૧:૩

  • એને લગતા અહેવાલ:

    • અયૂ ૪૨:૧, ૨, ૬-૧૦; યાકૂ ૫:૧૧—યહોવા અયૂબને દયા બતાવે છે. તે અયૂબને દયા બતાવવાનું શીખવે પણ છે

    • લૂક ૧૫:૧૧-૩૨—યહોવા કેટલા દયાળુ છે એ સમજાવવા ઈસુ એક પિતાનું ઉદાહરણ આપે છે. તે જણાવે છે કે ખોવાયેલો દીકરો પસ્તાવો કરે છે ત્યારે પિતા તેની સાથે કઈ રીતે વર્તે છે

યહોવા કેમ આપણને દયા બતાવે છે?

રોમ ૫:૮; ૧યો ૪:૯, ૧૦

આ પણ જુઓ: તિત ૩:૪, ૫

પાપોની માફી મેળવવા ઈસુ ખ્રિસ્તનું બલિદાન કેમ સૌથી મહત્ત્વનું છે?

લૂક ૨૪:૪૭; પ્રેકા ૧૦:૪૩; ૧યો ૧:૭, ૯

આપણે કેમ યહોવાને દયા માટે વિનંતી કરવી જોઈએ? આપણને દયા બતાવવામાં આવે ત્યારે કેમ એની કદર કરતા રહેવું જોઈએ?

લૂક ૧૧:૨-૪; હિબ્રૂ ૪:૧૬

  • એને લગતા અહેવાલ:

    • ગી ૫૧:૧-૪—દાઉદ રાજાને પોતાની ભૂલ માટે પસ્તાવો છે, એટલે તે નમ્ર બનીને યહોવા પાસે દયાની ભીખ માંગે છે

    • લૂક ૧૮:૯-૧૪—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જેઓ નમ્ર છે અને પોતાની ભૂલ સ્વીકારે છે, તેઓ પર યહોવા દયા કરે છે

જેઓએ ગંભીર પાપ કર્યાં છે તેઓ દયા મેળવવા શું કરી શકે?

પુન ૪:૨૯-૩૧; યશા ૫૫:૭

  • એને લગતા અહેવાલ:

    • ૨કા ૩૩:૯-૧૩, ૧૫—મનાશ્શા રાજા બહુ ખરાબ હતા. પણ પછી તે પસ્તાવો કરે છે અને ઈશ્વર પાસે દયાની ભીખ માંગે છે. તેમને ફરીથી રાજા બનાવવામાં આવે છે અને તેમનાં કામોથી દેખાઈ આવે છે કે તે સાચે બદલાઈ ગયા છે

    • યૂના ૩:૪-૧૦—નિનવેહના લોકો બહુ હિંસક હતા અને તેઓના હાથ લોહીથી રંગાયેલા હતા. પણ તેઓ પસ્તાવો કરે છે ત્યારે ઈશ્વર તેઓને દયા બતાવે છે

યહોવા પાસેથી દયા મેળવવા પાપ કબૂલ કરવાં અને જીવનમાં ફેરફાર કરવા કેમ જરૂરી છે?

ગી ૩૨:૫; ની ૨૮:૧૩; ૧યો ૧:૯

યહોવા દયા જરૂર બતાવશે, પણ તે આપણી ભૂલોનાં પરિણામથી આપણને નહિ બચાવે

નિર્ગ ૩૪:૬, ૭; ૨શ ૧૨:૯-૧૩

આપણે કેમ બીજાઓને દયા બતાવવી જોઈએ?

માથ ૬:૧૪; લૂક ૬:૩૬; કોલ ૩:૧૩

જો બીજાઓને દયા નહિ બતાવીએ તો એનાથી યહોવા સાથેના આપણા સંબંધ પર કેવી અસર પડશે?

માથ ૯:૧૩; ૨૩:૨૩; યાકૂ ૨:૧૩

આ પણ જુઓ: ની ૨૧:૧૩

  • એને લગતા અહેવાલ:

    • માથ ૧૮:૨૩-૩૫—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે જો આપણે બીજાઓને દયા નહિ બતાવીએ, તો યહોવા પણ આપણને દયા નહિ બતાવે

    • લૂક ૧૦:૨૯-૩૭—ઈસુ ઉદાહરણ આપીને સમજાવે છે કે તે અને યહોવા ભલા સમરૂની જેવા દયાળુ લોકોથી ખુશ થાય છે, પણ દયા ન બતાવનારા લોકો તેઓને ગમતા નથી

યહોવા દયાળુ લોકો સાથે કઈ રીતે વર્તે છે?

માથ ૫:૭; માર્ક ૧૧:૨૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો