-
નિર્ગમન ૩૦:૨૩-૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ “હવે આ ઉત્તમ સુગંધીઓ લે: ૫૦૦ શેકેલ કઠણ બોળ,* એનું અડધું એટલે ૨૫૦ શેકેલ સુગંધીદાર તજ, ૨૫૦ શેકેલ સુગંધીદાર બરુ ૨૪ અને ૫૦૦ શેકેલ દાલચીની.* એ બધું પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હોય.+ એની સાથે તું એક હીન* જૈતૂનનું તેલ પણ લે. ૨૫ એ વસ્તુઓ ભેગી કરીને તું અભિષેક કરવાનું પવિત્ર તેલ બનાવ. એ મિશ્રણ ઉત્તમ રીતે તૈયાર કર.*+ એ અભિષેક કરવાનું પવિત્ર તેલ ગણાશે.
-