વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પણ તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ. તે યહોવાના મંદિરમાં ધૂપવેદી પર ધૂપ બાળવા ગયો અને તેણે પોતાના ઈશ્વર યહોવા સામે પાપ કર્યું.+ ૧૭ તરત જ અઝાર્યા યાજક અને યહોવાના બીજા ૮૦ યાજકો હિંમતથી તેની પાછળ ગયા. ૧૮ તેઓએ ઉઝ્ઝિયાનો વિરોધ કરીને કહ્યું: “ઓ ઉઝ્ઝિયા રાજા, યહોવા આગળ ધૂપ બાળવાનું કામ તમારું નથી!+ ફક્ત યાજકો જ ધૂપ બાળી શકે છે, કેમ કે તેઓ હારુનના વંશજો છે.+ ઈશ્વરે તેઓને પવિત્ર કર્યા છે. મંદિરમાંથી નીકળી જાઓ! તમે પાપ કર્યું છે. આના માટે તમને યહોવા ઈશ્વર તરફથી જરાય માન મળશે નહિ.”

      ૧૯ પણ હાથમાં ધૂપદાની લઈને જતાં ઉઝ્ઝિયાને યાજકો પર ખૂબ ક્રોધ ચઢ્યો.+ તે યાજકો પર ગુસ્સે ભરાઈને બોલતો હતો, એવામાં યાજકોની સામે જ તેના કપાળ પર રક્તપિત્ત*+ થયો. એ સમયે તે યહોવાના મંદિરમાં ધૂપવેદી પાસે હતો. ૨૦ મુખ્ય યાજક અઝાર્યાએ અને બીજા યાજકોએ તેની તરફ જોયું તો જુઓ, તેના કપાળ પર રક્તપિત્ત થયો હતો! તેઓએ તેને બહાર હડસેલી મૂક્યો. તે પોતે બહાર દોડી ગયો, કેમ કે યહોવાએ તેને સજા કરી હતી.

      ૨૧ ઉઝ્ઝિયા રાજાને રક્તપિત્ત થયો હતો અને મરતાં સુધી તે રોગી રહ્યો.+ તે અલગ ઘરમાં રહેતો હતો. તેને યહોવાના મંદિરમાં જવાની મનાઈ હતી. તેનો દીકરો યોથામ રાજમહેલના વહીવટની દેખરેખ રાખતો હતો અને દેશના લોકોનો ન્યાય કરતો હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો