૨૨ શરૂઆતથી લઈને અંત સુધીનો ઉઝ્ઝિયાનો બાકીનો ઇતિહાસ આમોઝના દીકરા યશાયા પ્રબોધકે+ નોંધ્યો હતો. ૨૩ પછી ઉઝ્ઝિયા ગુજરી ગયો અને લોકોએ કહ્યું: “આ તો રક્તપિત્તિયો છે.” તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો, પણ રાજાઓના ખેતરોમાં. તેનો દીકરો યોથામ+ તેની જગ્યાએ રાજા બન્યો.