-
૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પણ તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ. તે યહોવાના મંદિરમાં ધૂપવેદી પર ધૂપ બાળવા ગયો અને તેણે પોતાના ઈશ્વર યહોવા સામે પાપ કર્યું.+ ૧૭ તરત જ અઝાર્યા યાજક અને યહોવાના બીજા ૮૦ યાજકો હિંમતથી તેની પાછળ ગયા. ૧૮ તેઓએ ઉઝ્ઝિયાનો વિરોધ કરીને કહ્યું: “ઓ ઉઝ્ઝિયા રાજા, યહોવા આગળ ધૂપ બાળવાનું કામ તમારું નથી!+ ફક્ત યાજકો જ ધૂપ બાળી શકે છે, કેમ કે તેઓ હારુનના વંશજો છે.+ ઈશ્વરે તેઓને પવિત્ર કર્યા છે. મંદિરમાંથી નીકળી જાઓ! તમે પાપ કર્યું છે. આના માટે તમને યહોવા ઈશ્વર તરફથી જરાય માન મળશે નહિ.”
-