-
એસ્તેર ૩:૨-૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના બધા સેવકો હામાનને નમન કરતા અને ઘૂંટણિયે પડતા, કેમ કે રાજાએ એવો હુકમ આપ્યો હતો. પણ મોર્દખાયે નમન કરવાની કે ઘૂંટણિયે પડવાની ના પાડી દીધી. ૩ મહેલના પ્રવેશદ્વારે બેસતા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું: “તું રાજાનો હુકમ કેમ પાળતો નથી?” ૪ તેઓ રોજ મોર્દખાયને એ સવાલ પૂછતા, પણ તે તેઓનું સાંભળતો નહિ. પછી તેઓએ એ વિશે હામાનને ખબર આપી. મોર્દખાયે તેઓને જણાવ્યું હતું કે પોતે યહૂદી છે,+ એટલે તેઓ જોવા માંગતા હતા કે મોર્દખાયનું આવું વર્તન ચલાવી લેવામાં આવશે કે નહિ.+
૫ હામાને જોયું કે મોર્દખાય તેને નમન કરવાની અને ઘૂંટણિયે પડવાની ના પાડે છે. એટલે તે ગુસ્સાથી લાલપીળો થઈ ગયો.+
-