-
યશાયા ૬૩:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૩ અદોમથી+ આ કોણ આવે છે?
“એ તો હું છું, હું* સાચું બોલનાર છું,
મારી પાસે બચાવવાની મહાન શક્તિ છે.”
૨ તમારાં કપડાં લાલ કેમ છે?
દ્રાક્ષાકુંડ ખૂંદનારનાં કપડાં જેવાં કેમ છે?+
૩ “મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે.
લોકોમાંથી કોઈએ મને સાથ ન આપ્યો.
મારા ગુસ્સામાં મેં દુશ્મનોને ખૂંદી નાખ્યા,
મારા ક્રોધમાં મેં તેઓને કચડી નાખ્યા.+
તેઓના લોહીના છાંટા મારાં કપડાં પર ઊડ્યા
અને મારાં બધાં કપડાં એનાથી રંગાઈ ગયાં.
-
-
ઓબાદ્યા ૮, ૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ યહોવા જાહેર કરે છે, “એ દિવસે,
હું અદોમના બુદ્ધિશાળી માણસોનો નાશ કરીશ,+
એસાવના પહાડી વિસ્તારના સમજદાર લોકોનો સફાયો કરીશ.
-