-
૨ રાજાઓ ૨૫:૮-૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના શાસનનું ૧૯મું વર્ષ ચાલતું હતું. એના પાંચમા મહિનાના સાતમા દિવસે બાબેલોનના રાજાનો સેવક, રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ યરૂશાલેમ આવ્યો.+ ૯ તેણે યહોવાનું મંદિર,+ રાજાનો મહેલ+ અને યરૂશાલેમનાં બધાં ઘરો બાળી નાખ્યાં.+ તેણે દરેક જાણીતા માણસોનાં ઘરો પણ બાળી નાખ્યાં.+ ૧૦ રક્ષકોના ઉપરી સાથે આવેલા ખાલદીઓના આખા લશ્કરે યરૂશાલેમ ફરતેની દીવાલો જમીનદોસ્ત કરી નાખી.+
-
-
૨ કાળવૃત્તાંત ૩૪:૨૪, ૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ.+ યહૂદાના રાજા આગળ તેઓએ એ પુસ્તકમાંથી જે જે શ્રાપ વિશે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૨૫ તેઓએ મારો ત્યાગ કર્યો છે.+ તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને મને રોષ ચઢાવ્યો છે.+ પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે. આ જગ્યા પર મારો કોપ ઊતરી આવશે અને એ શાંત પડશે નહિ.’”+
-
-
૨ કાળવૃત્તાંત ૩૬:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.
૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+
-