-
પુનર્નિયમ ૩૦:૧-૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ “મેં તમારી આગળ જે આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે,+ એ સર્વ તમારા પર આવી પડશે. એ સમયે તમારા ઈશ્વર યહોવાએ જે દેશોમાં તમને વિખેરી નાખ્યા હશે,+ ત્યાં તમને આ બધું યાદ આવશે.+ ૨ પછી તમે અને તમારા દીકરાઓ પૂરા દિલથી અને પૂરા જીવથી+ યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો+ અને તેમની આજ્ઞાઓ પાળશો, જે આજે હું તમને ફરમાવું છું. ૩ એ વખતે તમારા ઈશ્વર યહોવા તમને ગુલામીમાંથી પાછા લાવશે,+ તમને દયા બતાવશે+ અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે, ત્યાંથી તમને પાછા ભેગા કરશે.+
-