વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૬:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તેઓના બાપદાદાઓના ઈશ્વર યહોવાને પોતાના લોકો પર અને રહેઠાણ પર કરુણા આવતી હતી. એટલે તેમણે લોકો પાસે પોતાનો સંદેશો લઈ જનારાઓને મોકલ્યા અને વારંવાર ચેતવણી આપી. ૧૬ પણ તેઓએ સાચા ઈશ્વરનો સંદેશો લાવનારાઓની મશ્કરી કરી,+ તેમના સંદેશાનો સખત વિરોધ કર્યો+ અને તેમના પ્રબોધકોની મજાક ઉડાવી.+ જ્યાં સુધી યહોવાનો કોપ પોતાના લોકો પર સળગી ન ઊઠ્યો+ અને તેઓને સુધારવાનો કોઈ માર્ગ ન રહ્યો, ત્યાં સુધી તેઓ એવું કરતા રહ્યા.

  • નહેમ્યા ૯:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ અમારા પર જે કંઈ વીત્યું, અમે એને જ લાયક હતા. તમે અમારી સાથે અન્યાય કર્યો નથી. તમે તો વિશ્વાસુ છો, અમે જ દુષ્ટ રીતે વર્તીએ છીએ.+

  • દાનિયેલ ૯:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ હે યહોવા, તમે તો ન્યાયી છો, પણ અમે શરમમાં મુકાયા છીએ, જેમ આજે જોવા મળે છે. યહૂદાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ અને બધા ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા છે, જેઓને તમે નજીકના અને દૂરના દેશોમાં વિખેરી નાખ્યા હતા, કેમ કે તેઓ તમને બેવફા બન્યા હતા.+

  • દાનિયેલ ૯:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ યહોવા, તમે હંમેશાં ન્યાયથી વર્તો છો.+ કૃપા કરીને તમારા શહેર યરૂશાલેમ પરથી, તમારા પવિત્ર પર્વત પરથી તમારો ગુસ્સો અને ક્રોધ દૂર કરો. અમારાં પાપ અને અમારા બાપદાદાઓના અપરાધને લીધે આસપાસના લોકો યરૂશાલેમની અને તમારા લોકોની નિંદા કરે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો