યર્મિયા
૧૪ દુકાળ વિશે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+
૨ યહૂદા શોક કરે છે,+ એના દરવાજા ભાંગી પડ્યા છે.
નિરાશ થઈને એ જમીન પર ઢળી પડ્યા છે.
યરૂશાલેમથી રડારોળ સંભળાય છે.
૩ માલિકો પોતાના ચાકરોને* પાણી ભરવા મોકલે છે.
ચાકરો ઘડા લઈને પાણીના ટાંકા* પાસે જાય છે,
પણ તેઓને ટીપુંય પાણી મળતું નથી.
તેઓ ખાલી હાથે પાછા ફરે છે.
તેઓ નિરાશ થઈ ગયા છે, શરમમાં મુકાયા છે,
તેઓ પોતાનું માથું ઢાંકે છે.
૪ દેશમાં વરસાદ પડ્યો નથી,+
જમીનમાં તિરાડો પડી ગઈ છે.
ખેડૂતો હતાશ થઈ ગયા છે,
તેઓ પોતાનું માથું ઢાંકે છે.
૫ મેદાનોમાં જરાય ઘાસ નથી,
એટલે હરણી પોતાના તાજા જન્મેલા બચ્ચાને છોડી દે છે.
૬ જંગલી ગધેડાં ડુંગરો પર ઊભાં છે,
તેઓ શિયાળની જેમ શ્વાસ લેવા હાંફે છે.
લીલોતરી માટે ફાંફાં મારીને તેઓની આંખે અંધારાં આવી ગયાં છે.+
૭ અમારા અપરાધો સાક્ષી પૂરે છે કે અમે દોષિત છીએ,
છતાં હે યહોવા, તમારા નામને લીધે કંઈક કરો.+
અમે અનેક વાર તમને બેવફા બન્યા છીએ.+
અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
૮ હે ઇઝરાયેલની આશા, હે સંકટ સમયે છોડાવનાર,+
તમે આ દેશમાં અજાણ્યા માણસ જેવા કેમ થઈ ગયા છો?
એક રાત માટે રોકાયેલા મુસાફર જેવા કેમ થઈ ગયા છો?
૯ તમે મૂંઝાઈ ગયેલા માણસ જેવા કેમ થઈ ગયા છો?
શક્તિશાળી હોવા છતાં તમે અમને કેમ બચાવતા નથી?
૧૦ યહોવા પોતાના લોકો વિશે કહે છે: “તેઓને આમતેમ રખડવું બહુ ગમે છે.+ તેઓએ પોતાના પગોને રોક્યા નથી.+ એટલે હું યહોવા તેઓથી ખુશ નથી.+ હું તેઓના અપરાધો યાદ કરીશ અને તેઓનાં પાપોનો હિસાબ લઈશ.”+
૧૧ યહોવાએ મને કહ્યું: “આ લોકોના ભલા માટે તું મને પ્રાર્થના ન કર.+ ૧૨ તેઓ ઉપવાસ કરીને મને કાલાવાલા કરે છે, પણ હું એ સાંભળતો નથી.+ તેઓ મને અગ્નિ-અર્પણો અને અનાજ-અર્પણો* ચઢાવે છે, પણ હું એનાથી ખુશ થતો નથી.+ હું તલવારથી, દુકાળથી અને રોગચાળાથી* તેઓનો નાશ કરીશ.”+
૧૩ મેં કહ્યું: “હે વિશ્વના માલિક યહોવા, પ્રબોધકો લોકોને કહે છે, ‘તમારા પર તલવાર આવી નહિ પડે. તમારે દુકાળ જોવો નહિ પડે. ઈશ્વર તમને આ જગ્યાએ સાચી શાંતિ આપશે.’”+
૧૪ પણ યહોવાએ મને કહ્યું: “એ પ્રબોધકો મારા નામે જૂઠી ભવિષ્યવાણીઓ કરે છે.+ મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને કોઈ આજ્ઞા આપી નથી કે તેઓ સાથે કોઈ વાત કરી નથી.+ તેઓ તમને ખોટાં દર્શનો જણાવે છે, જાદુવિદ્યાથી નકામી ભવિષ્યવાણીઓ કરે છે અને પોતે ઉપજાવી કાઢેલી વાતો* સંભળાવે છે.+ ૧૫ જે પ્રબોધકો મારા નામે ભવિષ્યવાણી કરે છે, જેઓને મેં મોકલ્યા નથી અને જેઓ કહે છે, તલવારથી કે દુકાળથી આ દેશનો નાશ નહિ થાય, એ પ્રબોધકો વિશે યહોવા કહે છે: ‘તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે.+ ૧૬ અને જે લોકો તેઓનું સાંભળે છે, તેઓ પણ તલવાર અને દુકાળથી માર્યા જશે. તેઓની લાશો યરૂશાલેમની શેરીઓમાં ફેંકી દેવામાં આવશે. તેઓને, તેઓની પત્નીઓને, તેઓનાં દીકરા-દીકરીઓને દાટવા કોઈ નહિ આવે.+ હું તેઓ પર મોટી આફત લાવીશ, કેમ કે તેઓ એને જ લાયક છે.’+
કેમ કે મારા લોકોની કુંવારી દીકરી કચડાઈ ગઈ છે, તેના ચૂરેચૂરા થઈ ગયા છે.+
તેને મરણતોલ ફટકો પડ્યો છે.
૧૮ હું શહેરની બહાર જાઉં ત્યારે,
મને તલવારથી કતલ થયેલા લોકોની લાશો દેખાય છે!+
હું શહેરની અંદર આવું ત્યારે,
દુકાળથી પીડાતા લોકો નજરે પડે છે!+
કેમ કે પ્રબોધકો અને યાજકો અજાણ્યા દેશમાં ભટકે છે.’”+
૧૯ હે ઈશ્વર, શું તમે યહૂદાને તરછોડી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો?+
તમે કેમ અમારા પર ઘા કર્યો છે? જુઓ, અમને સાજા કરનાર કોઈ નથી!+
અમે તો શાંતિની આશા રાખતા હતા, પણ કંઈ સારું થયું નહિ!
સાજા થવાની રાહ જોતા હતા, પણ આતંક છવાઈ ગયો છે!+
૨૦ હે યહોવા, અમે અમારાં દુષ્ટ કામો કબૂલ કરીએ છીએ,
અમારા બાપદાદાઓના અપરાધ સ્વીકારીએ છીએ,
કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+
૨૧ તમારા નામને લીધે અમને ત્યજી દેશો નહિ.+
તમારી ભવ્ય રાજગાદીને ધિક્કારશો નહિ.
તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો, એને તોડશો નહિ.+
૨૨ શું પ્રજાઓની નકામી મૂર્તિઓ વરસાદ લાવી શકે?
શું આકાશ પોતાની મેળે વરસાદ વરસાવી શકે?
હે અમારા ઈશ્વર યહોવા, ફક્ત તમે જ એ કરી શકો છો!+
અમે તમારા પર આશા રાખીએ છીએ,
કેમ કે તમે એકલા જ એ બધું કરી શકો છો!