હબાક્કૂક
હું જોઈશ કે તે* મારી પાસે શું બોલાવવા માંગે છે,
એ પણ જોઈશ કે તે મને ઠપકો આપે ત્યારે હું શું કહીશ.
૨ પછી યહોવાએ મને કહ્યું:
૩ કેમ કે આ દર્શન નક્કી કરેલા સમય માટે છે,
એ પૂરું થવા ખૂબ આતુર છે, એ ખોટું પડશે નહિ.
જો એવું લાગે કે એ મોડું કરી રહ્યું છે,* તોપણ એની આતુરતાથી રાહ જો!*+
એ ચોક્કસ સાચું પડશે,
એ મોડું પડશે નહિ!
૪ ઘમંડથી ફુલાઈ ગયેલા માણસને જો,
તેનું દિલ નેક નથી.
પણ ન્યાયી* માણસ પોતાના વિશ્વાસથી* જીવશે.+
૫ સાચે જ, દ્રાક્ષદારૂ દગો દેનાર છે,
એના નશાને લીધે અહંકારી માણસ પોતાના ધ્યેય સુધી પહોંચશે નહિ.
તે માણસ પોતાની ભૂખ કબર* જેટલી વધારે છે,
તે મોત જેવો છે, તે કદી ધરાતો નથી.
તે સર્વ દેશો અને પ્રજાના લોકોને
પોતાના માટે ભેગા કરતો રહે છે.+
૬ શું એ બધા લોકો તેના વિશે કહેવતોમાં વાત નહિ કરે, કટાક્ષમાં નહિ બોલે અને ઉખાણાં નહિ પૂછે?+
તેઓ કહેશે:
‘ક્યાં સુધી એ માણસ પારકાઓની વસ્તુઓનો સંગ્રહ કરતો રહેશે?
અફસોસ છે તેને, કેમ કે તે પોતાનું જ દેવું વધારી રહ્યો છે.
૭ શું તારા લેણદારો અચાનક ઊભા નહિ થાય?
હા, તેઓ ઊઠશે અને તને ઢંઢોળી નાખશે,
તેઓ તને લૂંટી લેશે.+
૮ તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,
તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+
તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે,
તેં ઘણી પ્રજાઓને લૂંટી લીધી છે,
એટલે એના બચી ગયેલા લોકો તને લૂંટી લેશે.+
૯ અફસોસ છે એ માણસને જે કપટથી પોતાનું ઘર ભરે છે.
આફત તેના સુધી પહોંચે નહિ માટે,
તે પોતાનો માળો ઊંચાઈ પર બાંધે છે!
૧૦ તારા કાવાદાવાને લીધે તારા ઘર પર કલંક લાગ્યું છે,
ઘણા લોકોનું ખૂન કરીને તેં પોતાની વિરુદ્ધ પાપ કર્યું છે.+
૧૨ અફસોસ છે એ માણસને જે લોહીની નદીઓ વહેવડાવીને શહેર બાંધે છે,
અને અન્યાયથી નગરનો પાયો નાખે છે!
શું એ બધું સૈન્યોના ઈશ્વર યહોવાની* આજ્ઞાથી જ નથી થતું?
૧૫ અફસોસ છે એ માણસને જે પોતાના મિત્રોને દારૂ પિવડાવે છે,
એમાં ગુસ્સો અને ક્રોધ ઉમેરીને તેઓને નશામાં ચકચૂર કરે છે,
જેથી તેઓની નગ્નતા જોઈ શકે.
૧૬ તારા પર માનને બદલે અપમાન વરસશે.
તું પણ પી અને સુન્નત* વગરની તારી હાલત ઉઘાડી પાડ.*
હવે યહોવાના જમણા હાથે તારે પ્યાલો પીવો પડશે,+
બદનામી તારા ગૌરવને ઢાંકી દેશે.
૧૭ જે રીતે તેં લબાનોનને બરબાદ કર્યું છે, એ રીતે તું પણ બરબાદ થશે,
જે રીતે તેં ખૂંખાર જાનવરોનો સંહાર કર્યો છે, એ રીતે તારો પણ સંહાર થશે.
કેમ કે તેં માણસોનું લોહી વહેવડાવ્યું છે,
તેં શહેરો અને એના રહેવાસીઓ પર અત્યાચાર કર્યો છે,+
તેં આખી ધરતી પર આતંક ફેલાવ્યો છે.
૧૮ કોતરેલી મૂર્તિ શું કામની?
એ તો માણસોના હાથની રચના છે.
જૂઠો શિક્ષક અને ધાતુની મૂર્તિ* શું કામનાં?
તોપણ એના બનાવનાર એમાં ભરોસો મૂકે છે
અને નકામી તથા મૂંગી મૂર્તિઓ બનાવતા રહે છે.+
૧૯ અફસોસ છે એ માણસને જે લાકડાના ટુકડાને કહે છે, “જાગ!”
મૂંગા પથ્થરને કહે છે, “ઊભો થા! અમને શીખવ!”
૨૦ પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+
હે પૃથ્વી, તું તેમની આગળ ચૂપ રહે!’”+