એસ્તેર
૧૦ રાજા અહાશ્વેરોશે પોતાના સામ્રાજ્યના બધા વિસ્તારોમાં અને ટાપુઓ પર વસતા લોકો પાસે જબરજસ્તી મજૂરી કરાવી.
૨ રાજાનાં બધાં પરાક્રમી અને શક્તિશાળી કામો વિશેની તેમજ તેણે મોર્દખાયને+ ઉચ્ચ પદ આપ્યું+ એ વિશેની રજેરજ માહિતી માદાય અને ઈરાનના રાજાઓના+ ઇતિહાસના પુસ્તકમાં+ લખેલી છે. ૩ રાજા અહાશ્વેરોશ પછી બીજા સ્થાને યહૂદી મોર્દખાય હતો. યહૂદીઓમાં તેનું મોટું નામ હતું* અને તેના બધા ભાઈઓ તેને માન આપતા હતા. તે પોતાના લોકોના ભલા માટે અને તેઓના વંશજોના હિત માટે કામ કરતો હતો.*