વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૧૦/૧ પાન ૩૨
  • શું તમે ‘આર પર લાત મારો છો?’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ‘આર પર લાત મારો છો?’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૧૦/૧ પાન ૩૨

શું તમે ‘આર પર લાત મારો છો?’

બાઇબલના સમયમાં બળદને હાંકવા આરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક અણીદાર લાંબા સળિયાને આર કહેવામાં આવે છે અને અમુક જગ્યાએ લોકો અણી પર ખીલી મૂકે છે. જો બળદને આર લાગે પણ એ આગળ ન વધે તો, આર એને જ વધારે ભોંકાશે.

પ્રથમ સદીમાં શાઊલ ખ્રિસ્તીઓને ખૂબ સતાવતો હતો. એક વખતે સજીવન પામેલા ઈસુએ રસ્તામાં તેમને રોકીને આર વિષે જણાવ્યું. શાઊલે સૂરજના પ્રકાશમાંથી ઈસુને સાંભળ્યા: “શાઊલ, શાઊલ, તું મને શા માટે સતાવે છે? આર પર લાત મારવાથી તું પોતાને જ નુકસાન પહોંચાડે છે.” ખ્રિસ્તીઓને ત્રાસ આપીને શાઊલ ઈશ્વર વિરુદ્ધ જતો હતો. તે પોતાને જ નુકસાન પહોંચાડતો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૪, IBSI.

શું તમે પણ કોઈ વાર અજાણતા ‘આર પર લાત મારો છો?’ બાઇબલ કહે છે, “બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે” જે આપણને સીધા રસ્તા પર રાખે છે. (સભાશિક્ષક ૧૨:૧૧) બાઇબલની સલાહ પ્રમાણે ચાલવાથી, તમને ખરું માર્ગદર્શન મળે છે. (૨ તીમોથી ૩:૧૬) પરંતુ, જો તમે એ ન પાળો તો, તમને જ નુકસાન થશે.

શાઊલે ઈસુનું કહ્યું માન્યું. તે પોતાનું જીવન બદલીને પ્રેષિત પાઊલ બન્યા. હવે ખ્રિસ્તીઓ તેમને ખૂબ વહાલા ગણતા. જો તમે બાઇબલની સલાહ માનો તો, તમને ઈશ્વર ભરપૂર આશીર્વાદો આપશે.—નીતિવચનો ૩:૧-૬.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો