વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૩/૧૫ પાન ૩૨
  • એક યાદગાર પ્રસંગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક યાદગાર પ્રસંગ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૩/૧૫ પાન ૩૨

એક યાદગાર પ્રસંગ

આ કયો પ્રસંગ છે? લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એની યાદગીરીનો આ દિવસ છે. તેમણે કહ્યું, ‘હું મારો જીવ આપું છું. કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેઈચ્છાએ તે અર્પી દઉં છું.’—યોહાન ૧૦:૧૭, ૧૮, CL.

ઈસુએ તેમના શિષ્યોને પોતાનો મરણ દિવસ ઊજવવાની આજ્ઞા આપી હતી. એ પ્રસંગને “પ્રભુનું ભોજન” પણ કહે છે. (૧ કોરીંથી ૧૧:૨૦) આ યાદગાર પ્રસંગને યહોવાહના સાક્ષીઓ અને તેમના મિત્રો માર્ચ ૨૪, ૨૦૦૫, ગુરુવારે સૂર્યાસ્ત પછી ઊજવશે.

આ પ્રસંગે બેખમીર રોટલી અને દ્રાક્ષદારૂનો અર્થ સમજાવવા બાઇબલમાંથી ટૉક આપવામાં આવશે. (માત્થી ૨૬:૨૬-૨૮) આ ટૉકમાં બીજા પ્રશ્નોના પણ જવાબ આપવામાં આવશે. જેમ કે, ખ્રિસ્તીઓએ કેટલીવાર આ પ્રસંગ ઊજવવો જોઈએ? કોણે રોટલી અને દ્રાક્ષદારૂના પ્રતીકો લેવા જોઈએ? ઈસુના મરણમાંથી કોણ લાભ ઉઠાવશે? આ પ્રસંગ આપણને ઈસુના જીવનનું અને મરણનું મહત્ત્વ સમજવા મદદ કરશે.

ઈસુના મરણના સ્મરણપ્રસંગે અથવા મેમોરિયલે તમારો દિલથી આવકાર કરવામાં આવશે. આ સભાના ચોક્કસ સ્થળ અને સમય માટે યહોવાહના સાક્ષીઓને પૂછો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો