વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૧/૧ પાન ૪-૫
  • ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા કરે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ભ્રષ્ટાચારનો અંત આવશે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ચારેબાજુ ભ્રષ્ટાચાર—શા માટે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પરમેશ્વરના શિક્ષણથી ભ્રષ્ટાચારનો સામનો કરવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • બા ઇ બ લ નું દૃ ષ્ટિ બિં દુ
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૧/૧ પાન ૪-૫

ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા કરે છે?

“એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુકશાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯, કોમન લેંગ્વેજ બાઇબલ.

આ શબ્દો મનુષ્યોનાં રાજનો ખરો ઇતિહાસ બતાવે છે. તેઓનું શાસન ઘણી દુઃખ-તકલીફો માટે જવાબદાર છે. ઇતિહાસ બતાવે છે કે સારો ઇરાદો રાખનારા લોકોએ સારો સમાજ બનાવવા પ્રયત્ન કર્યા, પણ તેઓ વારંવાર લોભ અને ભ્રષ્ટાચારથી ઘેરાઈ જતા. શા માટે? ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા જ કરે છે? એ માટે નીચેની ત્રણ ખરાબ અસરો જવાબદાર છે.

૧. પાપની અસર.

બાઇબલ એકદમ સાફ જણાવે છે કે આપણે ‘બધા પાપને આધીન છીએ.’ (રોમનો ૩:૯) વારસામાં મળેલી જીવલેણ બીમારીની જેમ, પાપ આપણામાં “વસે છે.” સદીઓથી, પાપે મનુષ્યો પર રાજાની જેમ “રાજ” કર્યું છે. એનો “નિયમ” આપણામાં સતત કામ કરે છે. માણસોમાં રહેલું પાપી વલણ ઘણા લોકોને સ્વાર્થી બનાવે છે. એના લીધે તેઓ બીજાઓનો ખોટો ઉપયોગ કરીને, ધનદોલત કે સત્તા મેળવવા પ્રેરાય છે.—રોમનો ૫:૨૧; ૭:૧૭, ૨૦, ૨૩, ૨૫.

૨. દુષ્ટ દુનિયાની અસર.

આજે દુનિયામાં ચારેબાજુ સ્વાર્થ અને લોભ જોવા મળે છે. એવા માહોલમાં અમુક લોકો માટે ખરાબ લોકોની અસરથી અલગ રહેવું અઘરું હોય છે. એટલે તેઓ પોતાની સ્વાર્થી ઇચ્છાઓથી દોરાઈને સત્તાના ભૂખ્યા બને છે. જરૂર કરતાં વધારે માલમિલકત મેળવવાની ઇચ્છા તેઓ પોતામાં વધવા દે છે. દુઃખની વાત છે કે પોતાની એ ઇચ્છા પૂરી કરવા તેઓ ખોટો રસ્તો અપનાવવા તૈયાર થઈ જાય છે. આમ, ખરાબ અસરોથી દૂર રહેવાને બદલે, તેઓ ‘લોકોનું અનુકરણ કરીને દુષ્ટતા કરે છે.’—નિર્ગમન ૨૩:૨.

૩. શેતાનની અસર.

ઈશ્વર સામે બળવો પોકારનાર સ્વર્ગદૂત શેતાન, “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) લોકોને પોતાના ઇશારે નચાવવાની તેને ખૂબ મજા આવે છે. એશોઆરામ અને પૈસેટકે સુખી થવાની મનુષ્યોની સ્વાભાવિક ઇચ્છાઓ, તે ચાલાકીથી વધારે છે. એટલે, લોકો એ સંતોષવા ખોટાં કામ પણ કરવા તૈયાર થઈ જાય છે.

શું એનો એવો અર્થ થાય કે આપણે શેતાનના હાથની કઠપૂતળી છીએ અને જેમ નચાવે તેમ આપણે નાચ્યા કર્યે? આનો જવાબ આપણે પછીના લેખમાં જોઈશું. (w12-E 10/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો