દેવશાહી સેવા શાળા સમીક્ષા
ડિસેમ્બર ૨૬, ૨૦૧૧થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.
૧. આપણે કોઈને માઠું લગાવ્યું હોય તો, તેને વધારે ઉશ્કેરીએ નહિ માટે નીતિવચનો ૩૦:૩૨ની સલાહ આપણને કઈ રીતે મદદ કરી શકે? [w૮૭ ૧૦/૧ પાન ૨૯ ફકરો ૮]
૨. શા માટે વિનોદ કે હાસ્ય “ગાંડપણ” છે? (સભા. ૨:૧, ૨) [w૦૬ ૧૧/૧ પાન ૮ ફકરો ૬]
૩. અમુક લોકો માને છે કે સભાશિક્ષક ૩:૧-૯ના સુલેમાનના શબ્દો નસીબને ટેકો આપે છે. પણ સભાશિક્ષક ૯:૧૧માં તેમના શબ્દો કઈ રીતે પુરાવો આપે છે કે જીવનનો આધાર નસીબ પર નથી? [w૦૯ ૪/૧ પાન ૪ ફકરો ૪]
૪. ‘ઝાઝા નેક’ થવાનો કયો ખતરો રહેલો છે? (સભા. ૭:૧૬) [w૧૦ ૧૦/૧ પાન ૧૭ ફકરા ૮-૯]
૫. લગ્નસાથી શોધવામાં કેમ ઉતાવળ ન કરવી જોઈએ એ વિષે ગીતોનું ગીત ૨:૭ શું જણાવે છે? [w૦૬ ૧૨/૧ પાન ૫ ફકરો ૧]
૬. શૂલ્લામીના હોઠમાંથી ‘મધપૂડાની માફક મીઠાશ ટપકે છે’ અને તેની ‘જીભ તળે મધ તથા દૂધ ટપકે છે’ એનો શું અર્થ થાય? (ગી.ગી. ૪:૧૧) [w૦૬ ૧૨/૧ પાન ૫ ફકરો ૬]
૭. યહોવાહે કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? (યશા. ૭:૩, ૪) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૪]
૮. કઈ રીતે ૬૫ વર્ષમાં એફ્રાઈમ ‘નાશ પામ્યું’? (યશા. ૭:૮) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૫]
૯. કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો અને તેની જડ કે તેનું થડ’ બની શકે? (યશા. ૧૧:૧, ૧૦; રોમ. ૧૫:૧૨) [w૦૬ ૧૨/૧ પાન ૧૩ ફકરો ૬]
૧૦. ઈસુને “દાઊદની કૂચી” કે ચાવી ક્યારે મળી? એ ચાવી તે કેવી રીતે વાપરે છે? (યશા. ૨૨:૨૨) [w૦૯ ૧/૧ પાન ૩૧ ફકરો ૨]