યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શુદ્ધ ભક્તિને તમે શા માટે અનમોલ ગણો છો?
હઝકીએલને થયેલા મંદિરના સંદર્શનથી બંદીવાન યહુદીઓને આશા મળી કે શુદ્ધ ભક્તિ ફરી શરૂ થશે. એ જાણીને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું. આ છેલ્લા દિવસો દરમિયાન, શુદ્ધ ભક્તિ “પહાડોનાં શિખરો પર સ્થાપન” થઈ છે. આપણે એ પ્રજાઓમાં સામેલ છીએ, જે પ્રવાહની જેમ એમાં પ્રવેશ કરી રહી છે. (યશા ૨:૨) યહોવાને ઓળખવાનો અને તેમની ભક્તિ કરવાનો તમને જે લહાવો મળ્યો છે, શું એના પર તમે મનન કરો છો?
શુદ્ધ ભક્તિથી મળતા આશીર્વાદો:
ભરપૂર પ્રમાણમાં સાહિત્ય મળે છે, જે જીવનના મહત્ત્વના સવાલોના જવાબ આપે છે, રોજિંદા જીવન માટે વ્યવહારું સૂચનો અને ભાવિ માટે મજબૂત આશા આપે છે.—યશા ૪૮:૧૭, ૧૮; ૬૫:૧૩; રોમ ૧૫:૪
ઈશ્વર સાથે સંતોષકારક કામ કરવાનો લહાવો.—પ્રેકા ૨૦:૩૫; ૧કો ૩:૯
“ઈશ્વરની શાંતિ” આપણને આ મુશ્કેલ સમયોમાં મજબૂત કરે છે.—ફિલિ ૪:૬, ૭
શુદ્ધ અંતઃકરણ.—૨તિ ૧:૩
‘યહોવા સાથે પાક્કી મિત્રતા.’—ગી ૨૫:૧૪, IBSI
હું કઈ રીતોથી શુદ્ધ ભક્તિને અનમોલ ગણી શકું?