વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g23 નં. ૧ પાન ૯-૧૧
  • જંગલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જંગલો
  • સજાગ બનો!—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • જંગલો વિનાશને આરે
  • પૃથ્વીની અજોડ રચના
  • માણસોના પ્રયાસો
  • ઈશ્વર આપે છે આશાનું કિરણ
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૩
સજાગ બનો!—૨૦૨૩
g23 નં. ૧ પાન ૯-૧૧
એક સ્ત્રી વર્ષાવનમાં ઝૂલતા પુલ પર ચાલી રહી છે.

પૃથ્વીની ખોવાયેલી સુંદરતા

જંગલો

અમુક વૈજ્ઞાનિકો જંગલોને માણસનાં ફેફસાં સાથે સરખાવે છે. શા માટે? કેમ કે એ હવાને શુદ્ધ કરે છે. કાર્બન ડાયૉક્સાઇડ આપણા માટે હાનિકારક છે, ઝાડપાન એને શોષી લે છે અને ઑક્સિજન છોડે છે. ઑક્સિજન આપણા શ્વાસ માટે ખૂબ જરૂરી છે. ૮૦ ટકા જીવજંતુઓ અને ઝાડપાન જંગલમાં હોય છે. સાચે જ, જંગલો ના હોત તો આપણું શું થાત!

જંગલો વિનાશને આરે

દર વર્ષે કરોડો ઝાડ કાપવામાં આવે છે. જંગલોનો સફાયો કરવાનું મુખ્ય કારણ છે, ખેતીવાડી. પાછલાં ૭૫ વર્ષોના ગાળામાં દુનિયાના અડધા વર્ષાવન (રેઇન ફૉરેસ્ટ) ખતમ થઈ ગયા છે.

જ્યારે એક જંગલનો સફાયો કરવામાં આવે છે, ત્યારે એમાં રહેલાં જીવજંતુઓ અને ઝાડપાનનો પણ નાશ થઈ જાય છે.

પૃથ્વીની અજોડ રચના

જોવા મળ્યું છે કે અમુક જંગલોનાં બધાં ઝાડ કાપી નાખવામાં આવે તોપણ એમાં ઝાડપાન ફરીથી ઊગી નીકળે છે. વાતાવરણ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકો એ જોઈને દંગ રહી ગયા કે જંગલોનો સફાયો કર્યાં પછી એનાં ઝાડ જલદી ઊગી નીકળ્યાં હતાં અને જંગલો ફરીથી હર્યાંભર્યાં થઈ ગયાં હતાં. ચાલો અમુક દાખલા જોઈએ:

  • સાયન્સ મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે, સંશોધકો જોવા માંગતા હતા કે ખેતીવાડી માટે કાપી નાખવામાં આવેલાં જંગલોની જમીન પર પછીથી ખેતીવાડી બંધ કરવામાં આવી ત્યારે જમીનનું શું થયું. એટલે તેઓએ ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાની ૨,૨૦૦ જમીન પર અભ્યાસ કર્યો. એ અભ્યાસથી તેઓને જાણવા મળ્યું કે એ જમીનની માટી એવી છે, જે દસ વર્ષની અંદર ફરીથી ઉપજાઉ બની શકે છે અને એના પર ઝાડ ઊગી શકે છે.

  • એ સંશોધકોએ અનુમાન લગાવ્યું કે આશરે ૧૦૦ વર્ષની અંદર એ જમીન પર આપમેળે વૃક્ષો ઊગી નીકળશે અને ફરીથી જંગલો બની જશે.

  • બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ હાલમાં જ એ જાણવા અભ્યાસ કર્યો કે કઈ જમીન પર જંગલ ફટાફટ ઊગી શકે છે. શું એવી જમીન પર જ્યાં માણસો ઝાડ રોપે છે કે પછી એવી જમીન પર જેને એમ જ છોડી દેવામાં આવે છે?

  • નેશનલ જિયોગ્રાફીક મૅગેઝિનમાં એક અહેવાલ છપાયો હતો. એમાં લખ્યું હતું કે ‘વૈજ્ઞાનિકોને એ જાણીને ખુશી થઈ કે માણસોએ જમીન પર છોડ રોપવાની જરૂર જ ન હતી. જે જમીનને અભ્યાસ માટે એમ જ છોડી દેવામાં આવી હતી, એમાં પાંચ વર્ષની અંદર જ આપોઆપ ઝાડ ઊગી નીકળ્યાં અને જંગલ ફરીથી હર્યુંભર્યું થઈ ગયું.’

    શું તમે જાણો છો?

    ખેતર બન્યું જંગલ

    ચિત્રમાં બતાવ્યું છે કે જંગલને ખેતી કરવા કાપવામાં આવ્યું પછી એમ જ છોડી દેવામાં આવ્યું. ૧૦ વર્ષ પછી માટી ફરી ઉપજાઉ બની શકે છે. ૧૦૦ કરતાં વધારે વર્ષો પછી એ જગ્યા મોટાં મોટાં ઝાડથી ભરાઈ શકે છે.

    જંગલોની એક ખાસિયત છે. જ્યારે એને ખેતી માટે કાપવામાં આવે છે અને પછી એને એમ જ છોડી દેવામાં આવે છે ત્યારે પણ એ ફરીથી જંગલ બની શકે છે. એ વાત એવાં જંગલોને પણ લાગુ પડે છે, જેને બીજા કોઈ કારણને લીધે કાપવામાં આવ્યાં હોય.

માણસોના પ્રયાસો

બચેલાં જંગલોનું રક્ષણ કરવા અને જે જંગલોને નુકસાન પહોંચ્યું છે એને ફરીથી પહેલાં જેવાં બનાવવા દુનિયામાં ઘણા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રમાણે એ પ્રયત્નને લીધે છેલ્લાં ૨૫ વર્ષોમાં “જંગલોનો સફાયો કરવામાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.”

પણ એટલાથી કંઈ ફરક પડ્યો નથી. એક સંગઠનના અહેવાલમાં લખ્યું હતું કે ‘પાછલાં અમુક વર્ષોમાં ગરમ વિસ્તારોમાં જંગલોનો સફાયો કરવાનું બંધ થયું જ ન હતું. પહેલાં જેટલાં જંગલો કાપવામાં આવતાં, આજે પણ એટલાં જ કાપવામાં આવે છે.’

ગેરકાનૂની રીતે ઝાડ કાપતી કંપનીઓને લાખો-કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. એટલે લાલચમાં આવીને તેઓ ગરમ વિસ્તારોનાં જંગલોને નષ્ટ કરી રહ્યા છે.

જંગલની દેખરેખ રાખનાર માણસ જંગલનાં ઝાડ તપાસી રહ્યો છે.

જંગલની દેખરેખ રાખતી ઘણી ટીમ જૂના ઝાડ કાપે છે અને એની જગ્યાએ નવા રોપે છે

ઈશ્વર આપે છે આશાનું કિરણ

“યહોવાa ઈશ્વરે બાગમાં બધી જાતનાં ઝાડ ઉગાડ્યાં. એ ઝાડ જોવામાં સુંદર અને એનાં ફળ ખાવામાં સારાં હતાં.”—ઉત્પત્તિ ૨:૯.

સર્જનહારે જંગલોને એવી રીતે બનાવ્યાં છે કે માણસો એનો ઉપયોગ કરી શકે અને જો એને કોઈ નુકસાન થાય તો એ આપમેળે સરખું થઈ શકે. ઈશ્વર ચાહે છે કે જંગલ ટકી રહે, હર્યુંભર્યું રહે અને પોતાનું કામ સારી રીતે કરતું રહે.

બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર લાલચુ માણસોને એટલી હદે પૃથ્વી બગાડવા નહિ દે કે પૃથ્વીનો, માણસોનો, પ્રાણીઓનો અને ઝાડપાનનો નાશ થઈ જાય. એ વિશે જાણવા પાન ૧૫ પર આપેલો લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”

a પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

વધુ જાણવા

એક યુગલ પૃથ્વી પર નવી દુનિયાનો આનંદ માણી રહ્યું છે.

કુદરત પાસેથી આપણને ઘણી વસ્તુઓ મળે છે. જેમ કે, હવા, પાણી, ગેસ, તેલ, વગેરે. પણ માણસો પોતાના સ્વાર્થ માટે એને ખતમ કરી રહ્યા છે. છતાં, ખાતરી રાખી શકીએ કે આપણી પૃથ્વી હંમેશાં ટકશે. શા માટે? એ જાણવા jw.org/gu પર ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? વીડિયો જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો