વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bm ભાગ ૨૬ પાન ૩૦
  • મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!
  • બાઇબલનો સંદેશો શું છે?
  • સરખી માહિતી
  • સ્વર્ગમાં કોણ જાય છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • પ્રકટીકરણનું પુસ્તક—ભાવિ વિશે શું જણાવ્યું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
બાઇબલનો સંદેશો શું છે?
bm ભાગ ૨૬ પાન ૩૦
રાજ્ય મળ્યા પછી ઈસુ પોતાની ગાદી પર બેસે છે

ભાગ ૨૬

મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!

મસીહના રાજ્ય દ્વારા યહોવા પોતાનું નામ પવિત્ર મનાવે છે. એ સાબિત કરે છે કે તેમના રાજમાં જ સર્વનું ભલું છે. બધા જ દુષ્ટોનો વિનાશ થાય છે

યોહાને બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ લખ્યું હતું. એમાં તે પોતાને મળેલાં અનેક દર્શનો વિષે જણાવે છે. એ દર્શનોમાં જોવા મળે છે કે યહોવાનો મકસદ કઈ રીતે પૂરો થશે. એનાથી મનુષ્યને સુંદર ભાવિની આશા મળે છે.

પહેલા દર્શનમાં, સ્વર્ગમાં સજીવન થયેલા ઈસુ અમુક મંડળોના વખાણ કરે છે. અમુકને સલાહ આપે છે. બીજા દર્શનમાં સ્વર્ગદૂતો ઈશ્વરના સિંહાસન આગળ આવીને તેમની સ્તુતિ કરે છે.

પછી યહોવાનો મકસદ પૂરો થાય છે તેમ, આમ બને છે: હલવાન એટલે ઈસુને સાત મુદ્રાવાળો વીંટો આપવામાં આવે છે. પહેલી ચાર મુદ્રા ખુલે છે ત્યારે ચાર ઘોડેસવારો દેખાય છે. પહેલો ઘોડો સફેદ છે. એના પર રાજા ઈસુ બેઠા છે. પછીના ત્રણ ઘોડાઓ જુદા જુદા રંગના છે. એના ઘોડેસવારો યુદ્ધ, દુકાળ અને બીમારીને રજૂ કરે છે. આ બધું દુષ્ટ જગતના વિનાશ પહેલાં ચારે બાજુ જોવા મળે છે. સાતમી મુદ્રા ખુલે છે ત્યારે, સાત સ્વર્ગદૂતો રણશિંગડાં વગાડે છે. એ બતાવે છે કે યહોવાએ દુષ્ટોનો ન્યાય કરીને ચુકાદો આપી દીધો છે. એમાંથી સાત આફતો શરૂ થાય છે. એ યહોવાનો ક્રોધ બતાવે છે.

બીજા એક દર્શનમાં નવું જન્મેલું બાળક દેખાય છે. એ છોકરો સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યની શરૂઆતને રજૂ કરે છે. પછી સ્વર્ગમાં લડાઈ થાય છે. શેતાન અને તેના દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. પછી એક વાણી સંભળાય છે: ‘પૃથ્વીના લોકોને અફસોસ.’ એનું કારણ શું? શેતાન હવે ખૂબ જ ગુસ્સે થયો છે. તે જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે.—પ્રકટીકરણ ૧૨:૧૨.

યોહાન બીજા એક દર્શનમાં સ્વર્ગમાં હલવાન જુએ છે. આ હલવાન ઈસુ છે. તેમની સાથે પૃથ્વી પરથી પસંદ કરેલા ૧,૪૪,૦૦૦ લોકો છે. તેઓ ઈસુ સાથે ‘સ્વર્ગમાંથી રાજ કરે છે.’ પ્રકટીકરણ જણાવે છે કે યહોવાએ વચન આપેલું સંતાન ઈસુ છે. પછી એ સંતાનમાં ૧,૪૪,૦૦૦ લોકો પણ જોડાય છે.—પ્રકટીકરણ ૧૪:૧; ૨૦:૬.

પૃથ્વીના સર્વ રાજાઓ કે સરકારો આર્માગેદન માટે ભેગા થાય છે. ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને’ આર્માગેદન કહેવાય છે. એ રાજાઓ અને સરકારો કોની સામે લડે છે? સફેદ ઘોડા પર સવાર ઈસુ સામે. પણ ઈસુ અને તેમનું લશ્કર એ રાજાઓ અને સરકારોને હરાવીને નામનિશાન મિટાવી દે છે. શેતાનને કેદ કરવામાં આવે છે. પછી ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીદારો પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરે છે. એ હજાર વર્ષને અંતે શેતાનનો નાશ થાય છે.—પ્રકટીકરણ ૧૬:૧૪; ૨૦:૪.

ઈસુના હજાર વર્ષના રાજમાં ઈશ્વરભક્તોને કેવા આશીર્વાદો મળશે? યોહાન લખે છે: ‘યહોવા આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. કોઈનું મરણ નહિ થાય. શોક અને દુઃખ હશે જ નહિ. પહેલાંની દુનિયા હવે રહી નથી.’ (પ્રકટીકરણ ૨૧:૪) ત્યારે ધરતી સુંદરતાથી ખીલી ઊઠશે. સુખનો સૂરજ ઊગશે.

આ રાજ્ય દ્વારા યહોવાનું નામ પવિત્ર મનાય છે. હંમેશ માટે એ સાબિત થાય છે કે યહોવાના રાજમાં જ સર્વનું ભલું છે. તેમના વગર કોઈ સુખી થઈ જ ન શકે. આમ, પ્રકટીકરણના પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો પૂરો થાય છે.

—આ માહિતી પ્રકટીકરણમાંથી છે.

  • ઘોડેસવારો શાને દર્શાવે છે?

  • યહોવાનો મકસદ પૂરો થાય છે તેમ શું બને છે?

  • આર્માગેદન શું છે? એનું શું પરિણામ આવશે?

“મહાન બાબેલોન”

માણસોએ બનાવેલા ધર્મોને પ્રકટીકરણનું પુસ્તક “વેશ્યા” સાથે સરખાવે છે. એને “મહાન બાબેલોન” પણ કહેવાય છે. એ બધા ધર્મો યહોવા વિરુદ્ધ છે. વેશ્યાની જેમ, એ ધર્મો જગતના રાજાઓ અને નેતાઓ સાથે મળીને ખોટાં કામો કરે છે. પ્રકટીકરણ જણાવે છે કે યહોવાએ નક્કી કરેલા સમયે જગતના રાજાઓ અને નેતાઓ આ વેશ્યા સામે થશે. તેનો નાશ કરશે.—પ્રકટીકરણ ૧૭:૧-૫, ૧૬, ૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો