વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૫૬ પાન ૧૩૪
  • યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • યોશીયાના મિત્રો સારા હતા
    મારી બાઇબલ વાર્તાઓ
  • યહોવાહની કૃપા પામનાર નમ્ર યોશીયાહ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ગમે તેવા ઉછેર છતાં તમે સફળ થઈ શકો છો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • યુવાનો, તમે કેવું જીવન ચાહો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૫૬ પાન ૧૩૪
શાફાન રાજા યોશિયાને વીંટામાંથી વાંચી સંભળાવે છે

પાઠ ૫૬

યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા

યોશિયા આઠ વર્ષના હતા ત્યારે યહૂદાના રાજા બન્યા. એ સમયમાં લોકો જાદુટોણાં અને મૂર્તિની પૂજા કરતા હતા. જ્યારે યોશિયા ૧૬ વર્ષના થયા, ત્યારે સાચી રીતે યહોવાની ભક્તિ કરતા શીખ્યા. ૨૦ વર્ષની ઉંમરે તેમણે આખા યહૂદામાંથી મૂર્તિઓ અને વેદીઓનો નાશ કરવાનું શરૂ કરી દીધું. ૨૬ વર્ષની ઉંમરે તેમણે યહોવાના મંદિરનું સમારકામ કરાવવાની ગોઠવણ કરી.

પ્રમુખ યાજક હિલ્કિયાને મંદિરમાં યહોવાના નિયમોનો વીંટો મળ્યો. કદાચ આ એ જ વીંટો હતો, જે મૂસાએ પોતાના હાથે લખ્યો હતો. રાજાનો સેવક શાફાન યોશિયા પાસે એ વીંટો લઈ આવ્યો અને વાંચી સંભળાવ્યો. રાજા યોશિયા સમજી ગયા કે લોકો ઘણાં વર્ષોથી યહોવાની આજ્ઞા માનતા નથી. તેમણે હિલ્કિયાને કહ્યું: ‘યહોવા આપણા પર ખૂબ ગુસ્સે છે. તમે જઈને યહોવા સાથે વાત કરો અને પૂછો કે આપણે શું કરવું જોઈએ.’ યહોવાએ પ્રબોધિકા હુલ્દાહ દ્વારા જવાબ આપ્યો: ‘યહૂદાના લોકોએ મને છોડી દીધો છે, એટલે તેઓને સજા થશે. પણ યોશિયાના રાજમાં એવું નહિ થાય, કેમ કે તેણે પોતાને નમ્ર કર્યો છે.’

હિલ્કિયાને યહોવાના નિયમોનો વીંટો મળે છે

યહોવાનો જવાબ સાંભળીને રાજા યોશિયા મંદિરે ગયા. તેમણે યહૂદાના લોકોને પણ ત્યાં ભેગા કર્યા. પછી તેમણે લોકોને યહોવાના નિયમો વાંચી સંભળાવ્યા. યોશિયા અને લોકોએ યહોવાને વચન આપ્યું કે તેઓ પૂરા દિલથી યહોવાની આજ્ઞા માનશે.

યહૂદાના લોકોએ ઘણાં વર્ષોથી પાસ્ખાનો તહેવાર ઊજવ્યો ન હતો. યોશિયાએ નિયમશાસ્ત્રમાં વાંચ્યું કે દર વર્ષે પાસ્ખાનો તહેવાર ઊજવવો જોઈએ. એટલે તેમણે લોકોને કહ્યું: ‘આપણે યહોવા માટે પાસ્ખાનો તહેવાર ઊજવીશું.’ યોશિયાએ ઘણાં બધાં બલિદાનો ચઢાવવાની અને મંદિરમાં ગાયકો ગીત ગાય એવી ગોઠવણ કરી. પછી રાજ્યના બધા લોકોએ પાસ્ખાનો તહેવાર ઊજવ્યો. એ પછીના દિવસથી તેઓએ સાત દિવસ સુધી ‘ખમીર વગરની રોટલીનો તહેવાર’ ઊજવ્યો. પ્રબોધક શમુએલના સમયથી પાસ્ખાના તહેવારની આટલી મોટી ઊજવણી કદી થઈ ન હતી. યોશિયાને ઈશ્વરના નિયમો ખૂબ ગમતા. શું તમને પણ યહોવા વિશે શીખવું ગમે છે?

“તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫

સવાલ: રાજા યોશિયાએ ઈશ્વરના નિયમો સાંભળીને શું કર્યું? યોશિયાનાં કામો જોઈને યહોવાને કેવું લાગ્યું?

૨ રાજાઓ ૨૧:૨૬; ૨૨:૧–૨૩:૩૦; ૨ કાળવૃત્તાંત ૩૪:૧–૩૫:૨૫

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો