વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૭૦ પાન ૧૬૬-પાન ૧૬૭ ફકરો ૨
  • દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ઈસુનો જન્મ ક્યાં અને ક્યારે થાય છે?
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • તે ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ઈસુના જન્મથી આપણે શું શીખીએ છીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૭૦ પાન ૧૬૬-પાન ૧૬૭ ફકરો ૨
દૂતો ઘેટાંપાળકોને ઈસુના જન્મ વિશે જણાવી રહ્યા છે

પાઠ ૭૦

દૂતોએ ઈસુના જન્મ વિશે જણાવ્યું

રોમન સામ્રાજ્યના સમ્રાટ ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે બધા યહૂદીઓ નામ નોંધાવવા પોતપોતાના શહેર જાય. યૂસફ બેથલેહેમના હતા, એટલે યૂસફ અને મરિયમ ત્યાં ગયા. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે, બાળકને જન્મ આપવાનો સમય થઈ ગયો હતો.

તેઓને બેથલેહેમમાં રહેવા કોઈ જગ્યા ન મળી, એટલે તેઓ તબેલામાં રહ્યાં. મરિયમે ત્યાં જ પોતાના દીકરા ઈસુને જન્મ આપ્યો. પછી તેમણે બાળકને મુલાયમ કપડાંમાં લપેટ્યું અને ધીરેથી ગભાણમાં મૂક્યું.

બેથલેહેમ નજીક અમુક ઘેટાંપાળકો હતા. તેઓ રાતે ખેતરમાં ઘેટાંની સંભાળ રાખતા હતા. અચાનક યહોવાનો દૂત તેઓની સામે આવીને ઊભો રહ્યો અને યહોવાના ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું. ઘેટાંપાળકો ઘણા ગભરાઈ ગયા. પણ દૂતે તેઓને કહ્યું: ‘ગભરાશો નહિ! હું તમને એક ખુશખબર જણાવવા આવ્યો છું. આજે બેથલેહેમમાં મસીહનો જન્મ થયો છે!’ એવામાં ઘણા દૂતો આકાશમાં દેખાયા. તેઓએ કહ્યું: ‘સ્વર્ગમાં ઈશ્વરનો જયજયકાર થાઓ અને પૃથ્વી પર શાંતિ થાઓ.’ એ પછી દૂતો ગાયબ થઈ ગયા. હવે ઘેટાંપાળકો શું કરશે?

તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘ચાલો, આપણે હમણાં જ બેથલેહેમ જઈએ.’ તેઓ જલદી જલદી ગયા અને તબેલામાં યૂસફ અને મરિયમને બાળક સાથે જોયાં.

દૂતોએ ઘેટાંપાળકોને જે જણાવ્યું હતું, એ વિશે અમુક લોકોએ સાંભળ્યું. એ સાંભળીને તેઓને ખૂબ નવાઈ લાગી. મરિયમે દૂતની વાતો પર ઊંડો વિચાર કર્યો અને એ વાતો તેમણે હંમેશાં મનમાં રાખી. પછી ઘેટાંપાળકો પોતાના ઘેટાં પાસે પાછા ગયા. તેઓએ જે જોયું અને સાંભળ્યું એ માટે યહોવાનો આભાર માન્યો.

“હું ઈશ્વર પાસેથી આવ્યો છું અને તેમના લીધે હું અહીં છું. હું પોતાની મરજીથી આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.”—યોહાન ૮:૪૨

સવાલ: દૂતોએ ઈસુના જન્મની ખબર કઈ રીતે જણાવી? બેથલેહેમ જઈને ઘેટાંપાળકોએ કોને કોને જોયાં?

લૂક ૨:૧-૨૦; યશાયા ૯:૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો