વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૮૧ પાન ૧૯૦-પાન ૧૯૧ ફકરો ૨
  • ઈસુનો પહાડ પરનો સંદેશો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુનો પહાડ પરનો સંદેશો
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ભલું કરતા રહો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • “હું તમને મારા મિત્રો કહું છું”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ઈશ્વરના માર્ગ પર ચાલો
    સાચા ઈશ્વરને ઓળખો
  • પહાડ પરનો જાણીતો ઉપદેશ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૮૧ પાન ૧૯૦-પાન ૧૯૧ ફકરો ૨
ઈસુ મોટા ટોળા આગળ પહાડ પરનો સંદેશો આપે છે

પાઠ ૮૧

ઈસુનો પહાડ પરનો સંદેશો

ઈસુ ૧૨ પ્રેરિતોને પસંદ કરીને પહાડ પરથી ઊતર્યા. એ પછી તે એવી જગ્યાએ ગયા જ્યાં ઘણા લોકો ભેગા થયા હતા. એ લોકો ગાલીલ, યહૂદિયા, તૂર, સિદોન, સિરિયા અને યર્દન નદીની પેલે પારથી આવ્યા હતા. તેઓ પોતાની સાથે ઘણા બીમાર લોકોને અને દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકોને લાવ્યા હતા. ઈસુએ બધાને સાજા કર્યા. પછી તે પહાડ પર એક બાજુ બેઠા અને લોકોને શીખવવા લાગ્યા. તેમણે જણાવ્યું કે ઈશ્વરના દોસ્ત બનવા આપણે શું કરવું જોઈએ. એ માટે સમજવું જોઈએ કે આપણને યહોવાની જરૂર છે અને આપણે તેમને પ્રેમ કરતા શીખવું જોઈએ. આપણે કઈ રીતે તેમને પ્રેમ કરી શકીએ? બીજાઓને પ્રેમ કરીને! આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ, બધાનું ભલું કરવું જોઈએ. અરે, દુશ્મનોનું પણ!

ઈસુએ કહ્યું: ‘ફક્ત દોસ્તોને પ્રેમ કરવો પૂરતો નથી, દુશ્મનોને પણ પ્રેમ કરવો જોઈએ. બીજાઓને દિલથી માફ કરવા જોઈએ. જો કોઈ તમારાથી નારાજ હોય, તો તરત તેની પાસે જઈને માફી માંગવી જોઈએ. જેમ તમે ચાહો છો કે બીજાઓ તમારી સાથે વર્તે, તેમ તમે પણ બીજાઓ સાથે વર્તો.’

ઈસુ મોટા ટોળા આગળ પહાડ પરનો સંદેશો આપે છે

ઈસુએ લોકોને પૈસા અને ચીજવસ્તુઓ વિશે પણ સારી સલાહ આપી. તેમણે કહ્યું: ‘ઘણા બધા પૈસા હોવા કરતાં યહોવા સાથે દોસ્તી હોવી વધારે જરૂરી છે. ચોર તમારા પૈસા ચોરી શકે છે, પણ યહોવા સાથેની તમારી દોસ્તી કોઈ ચોરી નહિ શકે. ચિંતા કરવાનું છોડી દો કે તમે શું ખાશો, શું પીશો અથવા શું પહેરશો. પક્ષીઓને જુઓ! ઈશ્વર તેઓને ખાવા માટે કંઈકને કંઈક આપે છે. ચિંતા કરીને તમે જીવનનો એક દિવસ પણ વધારી નહિ શકો. હંમેશાં યાદ રાખો, યહોવા જાણે છે કે તમને શાની જરૂર છે.’

લોકોએ અત્યાર સુધી કોઈને પણ ઈસુની જેમ શીખવતા સાંભળ્યા ન હતા. ધર્મગુરુઓએ લોકોને આવી વાતો ક્યારેય શીખવી ન હતી. ઈસુ કેમ એક મહાન શિક્ષક હતા? કેમ કે તે એ જ શીખવતા હતા, જે યહોવાએ તેમને શીખવ્યું હતું.

“મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે.”—માથ્થી ૧૧:૨૯

સવાલ: યહોવાના દોસ્ત બનવા આપણે શું કરવું જોઈએ? બીજાઓ સાથે વર્તવા વિશે યહોવા આપણી પાસે શું ચાહે છે?

માથ્થી ૪:૨૪–૫:૪૮; ૬:૧૯-૩૪; ૭:૨૮, ૨૯; લૂક ૬:૧૭-૩૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો