વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૯/૧૫ પાન ૩
  • ઈસુ પરમેશ્વર હતા કે માણસ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ પરમેશ્વર હતા કે માણસ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સરખી માહિતી
  • ઈસુમાં કેવો ખજાનો રહેલો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈસુ ખ્રિસ્ત કોણ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુને પગલે ચાલીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • પરમેશ્વરનો પ્રકાશ અંધકાર દૂર કરે છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૯/૧૫ પાન ૩

ઈસુ પરમેશ્વર હતા કે માણસ?

“જગતનું અજવાળું હું છું; જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” (યોહાન ૮:૧૨) આ ઈસુના શબ્દો હતા. પ્રથમ સદીના એક વિદ્વાને ઈસુ વિષે કહ્યું: “તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.” (કોલોસી ૨:૩) અને બાઇબલ પણ કહે છે: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા, આપણી શ્રદ્ધા દૃઢ રાખવા માટે આપણે ઈસુ વિષે જાણવું જ જોઈએ.

દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકોએ ઈસુ વિષે સાંભળ્યું છે. એમાં કોઈ શંકા નથી કે ઈસુ માનવ ઇતિહાસમાં એક ઊંડી છાપ છોડી ગયા છે. જે વર્ષે ઈસુનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, એ જ વર્ષથી આજના મોટા ભાગના કેલેન્ડરોની ગણતરી થાય છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા સમજાવે છે: “લોકો ઈસુનો જન્મ થયો એ પહેલાંની તારીખને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખે છે. ઈસુના જન્મ પછી, ઈસવીસન અથવા એન્‍નો ડોમીની (આપણા પ્રભુના વર્ષમાં) તરીકે ઓળખે છે.”

તેમ છતાં ઈસુ વિષે અનેક જુદી જુદી માન્યતાઓ છે. અમુક લોકો માને છે કે, તે ઇતિહાસની એક જાણીતી વ્યક્તિ હતા, જે લોકોના માનસપટ પર સારી છાપ છોડી ગયા. તો અમુક લોકો તેમને પરમેશ્વર માનીને ભજે છે. હિંદુ ધર્મના અમુક લોકો કહે છે કે ‘ઈસુ ખ્રિસ્ત, કૃષ્ણ ભગવાનની જેમ જ ઈશ્વરનો એક અવતાર છે.’ તો ઈસુ ખરેખર કોણ હતા? તે ફક્ત એક માણસ જ હતા? શું તેમની ભક્તિ કરવી જોઈએ? તે ક્યાંથી આવ્યા હતા? તેમનો સ્વભાવ કેવો હતો? આજે તે ક્યાં છે? હવે પછીના લેખમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જોઈશું. એ જવાબો આપણને ઈસુ વિષે ઘણી જાણકારી આપે છે એ પવિત્ર શાસ્ત્રવચનમાંથી જોઈશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો