વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૪/૧ પાન ૮-૯
  • ઈશ્વરનું રાજ્ય શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું રાજ્ય શું છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૪/૧ પાન ૮-૯

બાઇબલમાંથી શીખો

ઈશ્વરનું રાજ્ય શું છે?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. ઈશ્વરનું રાજ્ય શું છે?

ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરતી સરકાર છે. એ સરકાર ધરતી પરની બધી જ સરકારોને કાઢી નાખશે. એ સરકાર સ્વર્ગમાં અને ધરતી પર ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. આપણા બધાની ઇચ્છા છે કે એક સારી સરકાર આવે, એ ઇચ્છા ઈશ્વરનું રાજ્ય પૂરી કરશે.—દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦ વાંચો.

રાજ્ય હોય તો રાજા પણ હોય. એટલે યહોવાએ પોતાના દીકરા ઈસુને એ રાજ્યના રાજા બનાવ્યા છે.—લુક ૧:૩૦-૩૩ વાંચો.

૨. શા માટે ઈસુ યોગ્ય રાજા છે?

ઈસુ ખૂબ જ દયાળુ છે. જે ખરું છે એ જ તે કરે છે. તેમ જ, દરેક લોકોને મદદ કરવા તેમની પાસે શક્તિ છે. એટલે, ઈશ્વરના દીકરા તરીકે તે જ યોગ્ય રાજા છે. (માત્થી ૧૧:૨૮-૩૦) ધરતી પર પોતાનું જીવન આપ્યા પછી તેમને સજીવન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ, તે સ્વર્ગમાં ગયા અને યહોવા ઈશ્વરના જમણે હાથે બેઠા. (હિબ્રૂ ૧૦:૧૨, ૧૩) થોડા સમય પછી, ઈશ્વરે તેમને સ્વર્ગમાંથી રાજ કરવાની આજ્ઞા આપી.—દાનીયેલ ૭:૧૩, ૧૪ વાંચો.

૩. ઈસુ સાથે બીજું કોણ રાજ કરશે?

ઈશ્વરે સ્વર્ગમાંથી ઈસુ સાથે રાજ કરવા અમુક લોકોને પસંદ કર્યા છે. તેઓ ‘પવિત્ર જનો’ તરીકે ઓળખાય છે. (દાનીયેલ ૭:૨૭) ઈસુના વિશ્વાસુ શિષ્યો એ પવિત્ર જનોમાં પ્રથમ પસંદગી પામ્યાં હતાં. યહોવાએ વિશ્વાસુ પુરુષો અને સ્ત્રીઓને હમણાં સુધી પવિત્ર જનો તરીકે પસંદ કરવાનું ચાલું રાખ્યું છે. ઈસુની જેમ તેઓને પણ સ્વર્ગદૂતોના જેવા શરીરમાં સજીવન કરવામાં આવે છે.—યોહાન ૧૪:૧-૩; ૧ કોરીંથી ૧૫:૪૨-૪૫ વાંચો.

કેટલા લોકો સ્વર્ગમાં જશે? સ્વર્ગમાં જનારા લોકોને ઈસુએ “નાની ટોળી” કહ્યા. (લુક ૧૨:૩૨) તેઓની પૂરી સંખ્યા “એક લાખ ચુમ્માળીસ હજાર” છે. તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રહીને ધરતી પર રાજ કરશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧ વાંચો.

૪. ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ કરવાનું શરૂ કર્યું?

૧૯૧૪માં ઈસુ રાજા બન્યા.a એ પછી તરત જ તેમણે શેતાન અને તેના સાથીઓને પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટીકરણ ૧૨:૭-૧૦, ૧૨) એ સમયથી મનુષ્યોની મુશ્કેલીઓમાં અઢળક વધારો થયો છે. જેમ કે, યુદ્ધો, ધરતીકંપ, દુકાળ, બીમારીઓ અને ખરાબ વર્તન ઘણા વધી ગયા છે. આ બધી નિશાનીઓ બતાવે છે કે દુષ્ટ દુનિયાનો અંત ખૂબ જ નજીક છે. (૨ તીમોથી ૩:૧-૫) જેઓ ઈશ્વરના રાજ્યમાંથી લાભ મેળવવા ચાહે છે, તેઓએ શીખવું જોઈએ કે પોતે કેવી રીતે રાજા ઈસુના શિષ્ય બની શકે.—લુક ૨૧:૭, ૧૦, ૧૧, ૩૧, ૩૪, ૩૫ વાંચો.

૫. ઈશ્વરનું રાજ્ય શું કરશે?

આખી દુનિયામાં ચાલી રહેલા પ્રચાર કામ દ્વારા ઈશ્વરનું રાજ્ય લાખો લોકોને તેમના નીતિનિયમો શીખવા મદદ કરે છે. (માત્થી ૨૪:૧૪) આ દુષ્ટ દુનિયાનો નાશ થશે ત્યારે, ઈશ્વરનું રાજ્ય “મોટી સભા”ના લોકોનું રક્ષણ કરશે. ત્યાર પછી તેઓ ઈસુના રાજ્યની વિશ્વાસુ પ્રજા બનશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩-૧૭ વાંચો.

એ રાજ્યના હજાર વર્ષો દરમિયાન આખી ધરતી ધીરે ધીરે સુંદર બગીચા જેવી થઈ જશે. ત્યાર પછી, ઈસુ પોતાના પિતાને એ રાજ્ય પાછું સોંપી દેશે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૬) શું તમે એવી કોઈ વ્યક્તિને જાણો છો, જેને ઈશ્વરના રાજ્ય વિષે શીખવું ગમશે?—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯ વાંચો. (w11-E 07/01)

વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું આઠમું અને નવમું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[ફુટનોટ]

a કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણીઓ ૧૯૧૪ના વર્ષ તરફ ઇશારો કરે છે, એ વિષે વધુ જાણવા આ પુસ્તક જુઓ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પાન ૨૧૫-૨૧૮. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો