વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૨/૧૫ પાન ૧૬
  • શું તમને યાદ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમને યાદ છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય?
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૨/૧૫ પાન ૧૬

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય?

મરણ પામેલી વ્યક્તિના શરીરને બાળવામાં આવે કે દાટવામાં આવે, એ નિર્ણય વ્યક્તિ પોતે અગાઉથી જણાવી રાખી શકે અથવા તેનું કુટુંબ નિર્ણય લઈ શકે. ખરું કે, બાઇબલ એ વિષય પર સીધેસીધી માહિતી આપતું નથી. જોકે, ધ્યાનમાં લેવા જેવું છે કે રાજા શાઊલ અને તેમના દીકરા યોનાથાનના શબને બાળ્યાં પછી દાટવામાં આવ્યાં હતાં. (૧ શમૂ. ૩૧:૨, ૮-૧૩)—૬/૧૫, પાન ૭.

ધુમ્રપાન કેટલું જીવલેણ સાબિત થયું છે?

ગઈ સદીમાં એણે દસ કરોડ લોકોને મારી નાખ્યા. દર વર્ષે આશરે સાઠ લાખ લોકોનું જીવન છીનવી લે છે.—૭/૧, પાન ૩.

પોર્નોગ્રાફીની લાલચનો નકાર કરવા આપણે શું કરવું જોઈએ?

આ ત્રણ પગલાં મદદરૂપ બનશે: (૧) જાતીય લાગણી ઉશ્કેરતાં ચિત્રો કે દૃશ્યોથી નજર ફેરવી લેવી જોઈએ. (૨) ખોટા વિચારો મનમાં આવે ત્યારે, વિચારવાનું તરત જ બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. (૩) આપણે એવી ફિલ્મો અને વેબ સાઇથી દૂર રહીએ જેમાં પોર્નોગ્રાફી હોય.—૭/૧, પાન ૯-૧૧.

જરૂર વધુ છે એવા દેશોમાં જઈને સેવા આપતાં ભાઈ-બહેનોને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

આ ત્રણ પડકારોનો સામનો કરવો પડે છે: (૧) તેઓએ અલગ જીવન ઢબ અપનાવવી પડે છે, (૨) તેઓને ઘરની યાદ સતાવી શકે અને (૩) ત્યાંના ભાઈ-બહેનોનાં રીતરિવાજો પ્રમાણે જીવનને ઢાળવું પડે છે. એ પડકારો પર જીત મેળવનાર ઘણાં ભાઈ-બહેનોને પુષ્કળ આશીર્વાદ મળ્યા છે.—૭/૧૫, પાન ૪-૫.

શા માટે નવી પત્રિકાઓ અસરકારક અને વાપરવામાં સહેલી છે?

નવી પત્રિકાઓમાં માહિતીને એક સરખી રીતે રજૂ કરવામાં આવી છે. દરેક પત્રિકા આપણને બાઇબલની એક કલમ વાંચવા અને ઘરમાલિકને એક સવાલ પૂછવા પ્રેરે છે. વ્યક્તિ ગમે તે જવાબ આપે, આપણે પત્રિકાની અંદર આપેલા બાઇબલના વિચારો બતાવી શકીએ છીએ. આપણે ફરી મુલાકાત માટે પણ બીજા એક સવાલ પર ધ્યાન દોરી શકીએ છીએ.—૮/૧૫, પાન ૧૩-૧૪.

બાળકોની સંભાળ રાખવા માબાપ શું કરી શકે?

બાળકોને સારી રીતે જાણવા તેઓનું ધ્યાનથી સાંભળવું જરૂરી છે. બાળકોની ભક્તિની ભૂખ સંતોષો. તેઓને પ્રેમાળ રીતે દોરવણી આપો. દાખલ તરીકે, બાળકના મનમાં શંકાઓ ઊઠે તો પ્રેમથી માર્ગદર્શન આપો.—૯/૧૫, પાન ૧૮-૨૧.

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈશ્વર આપણા પર આફતો લાવતા નથી?

ઈશ્વર પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે. તે ન્યાયી, વિશ્વાસુ અને ભરોસાપાત્ર છે. તે ઘણા દયાળુ અને કૃપાળુ પણ છે. (પુન. ૩૨:૪; ગીત. ૧૪૫:૧૭; યાકૂ. ૫:૧૧)—૧૦/૧, પાન ૪.

બાઇબલ પ્રમાણે ક્યા કરારના લીધે બીજાઓને ઈસુ જોડે રાજ કરવાનો હક મળ્યો છે?

પ્રભુના સાંજના ભોજનને પ્રથમ વાર ઊજવતી વખતે ઈસુએ પોતાના વફાદાર શિષ્યો સાથે રાજ્યનો કરાર કર્યો. (લુક ૨૨:૨૮-૩૦) એ કરાર અભિષિક્તોને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો હક આપે છે.—૧૦/૧૫, પાન ૧૬-૧૭.

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪માં યાકૂબના આ શબ્દો જોવા મળે છે: “પોતાના નામની ખાતર એક પ્રજા.” એ કોને રજૂ કરે છે?

યહોવાએ યહુદી અને બિનયહુદી લોકોને એ પ્રજા બનવા પસંદ કર્યા હતા, જેથી તેઓ ‘યહોવાના સદ્‍ગુણો પ્રગટ કરે.’ (૧ પીત. ૨:૯, ૧૦)—૧૧/૧૫, પાન ૨૪-૨૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો