યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે?
યહોશુઆ અને સુલેમાન, બંનેએ જણાવ્યું કે યહોવાનું એક પણ વચન નિષ્ફળ ગયું નથી. (યહો ૨૩:૧૪; ૧રા ૮:૫૬) એ વફાદાર સાક્ષીઓની શાહેદી આપણા અડગ પાયાને મજબૂત કરે છે, જેના પર આપણી શ્રદ્ધાનું ચણતર કરી શકીએ છીએ.—૨કો ૧૩:૧; તિ ૧:૨.
યહોવાએ કઈ રીતે યહોશુઆના સમયમાં પોતાનાં વચનો પૂરાં કર્યાં? કુટુંબ સાથે મળીને આ વીડિયો જુઓ: ‘એકેય વચન નિષ્ફળ ગયું નથી.’ પછી, આ સવાલોની ચર્ચા કરો: (૧) તમે કઈ રીતે રાહાબની શ્રદ્ધાને અનુસરી શકો? (હિબ્રૂ ૧૧:૩૧; યાકૂ ૨:૨૪-૨૬) (૨) આખાનનો દાખલો કઈ રીતે બતાવે છે કે, જાણી જોઈને આજ્ઞા ન પાળવાથી નુકસાન થાય છે? (૩) ગિબઓનના લોકો લડવૈયા હતા, તેમ છતાં તેઓએ શા માટે યહોશુઆને છેતર્યા અને ઇઝરાયેલ સાથે સુલેહ-શાંતિ કરી? (૪) અમોરીઓના પાંચ રાજાઓએ ઇઝરાયેલને ધમકી આપી ત્યારે, યહોવાનું વચન કઈ રીતે સાચું પડ્યું? (યહો ૧૦:૫-૧૪) (૫) જીવનમાં યહોવાના રાજ્યને અને તેમના ખરાં ધોરણોને પ્રથમ સ્થાને મૂકો છો માટે, યહોવાએ તમને કેવા આશીર્વાદો આપ્યા છે?—માથ ૬:૩૩.
યહોવાએ આપણા માટે જે કર્યું છે, જે કરે છે અને જે કરવાના છે એનો વિચાર કરીએ છીએ ત્યારે, તેમનાં વચનોમાં આપણી શ્રદ્ધા વધુ દૃઢ થાય છે.—રોમ ૮:૩૧, ૩૨.
શું તમે યહોશુઆ જેવી શ્રદ્ધા બતાવો છો?