વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 સપ્ટેમ્બર પાન ૩
  • અફવાઓ ન ફેલાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અફવાઓ ન ફેલાવીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ‘ભોળો માણસ દરેક શબ્દ ખરો માની લે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • જે શીખ્યા છો એ જ માર્ગમાં ચાલતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • શું તમે બધી હકીકત જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • કૂથલી કરવામાં શું ખોટું છે?
    સજાગ બનો!—૧૯૯૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 સપ્ટેમ્બર પાન ૩

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

અફવાઓ ન ફેલાવીએ

એક સ્ત્રી બજારમાં ફોન પર કંઈક જોઈને ચમકી જાય છે.

આજે ઇન્ટરનેટ, ટીવી, સાહિત્ય અને રેડિયો દ્વારા કોઈપણ માહિતી થોડી જ વારમાં લાખો લોકો સુધી પહોંચાડી શકાય છે. આપણે ‘સત્યના ઈશ્વરની’ ભક્તિ કરીએ છીએ. એટલે આપણે ક્યારેય અફવાઓ ફેલાવવી ન જોઈએ, અરે ભૂલથીયે નહિ! (ગી ૩૧:૫; નિર્ગ ૨૩:૧) અફવાઓ ફેલાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. કોઈ માહિતી સાચી છે કે નહિ એની ખાતરી કરવા પોતાને પૂછો:

  • ‘શું આ માહિતી આપનાર પર ભરોસો કરી શકાય?’ જરૂરી નથી કે માહિતી આપનારને બધી વાતની ખબર હોય. ઘણી વાર એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ સુધી પહોંચતા વાત બદલાય જાય છે. એટલે જો તમને ખબર ન હોય કે એ માહિતી કોણે આપી છે, તો આંખો મીંચીને માની ન લો. મંડળના જવાબદાર ભાઈઓએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓ જે કંઈ માહિતી આપે એ સાચી હોવી જોઈએ. કારણ કે તેઓએ આપેલી માહિતી પર બધા ભરોસો કરે છે

  • ‘શું એનાથી કોઈનું નામ ખરાબ થાય છે?’ જો અમુક વાતથી કોઈનું નામ ખરાબ થતું હોય તો સારું રહેશે કે એ વાતનો ઢંઢેરો ન પીટાય.—નીતિ ૧૮:૮; ફિલિ ૪:૮

  • ‘શું એ વાત પર ભરોસો મૂકી શકાય?’ ભડકાવનારી વાતો કે વિવાદો ઊભા કરે એવી માહિતી તરત જ માની ન લો

હું અફવાઓ કઈ રીતે રોકી શકું? વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • એક છોકરાને નિશાન તાકવાના બોર્ડ પર બાંધેલો છે તેની ફરતે ચપ્પુ મારેલા છે.

    નીતિવચનો ૧૨:૧૮ પ્રમાણે આપણી વાતોથી બીજાઓને કેવું નુકસાન થઈ શકે?

  • લોકોની ભીડ છે અને તેઓ ભેગા મળીને અફવા ફેલાવી રહ્યા છે.

    બીજાઓ વિશે વાત કરતી વખતે ફિલિપીઓ ૨:૪ યાદ રાખવું શા માટે જરૂરી છે?

  • એક માણસ બીજાની બૂરાઈ કરી રહ્યો છે અને બીજો માણસ તેની વાત સાંભળતો નથી.

    બીજાઓ કોઈની બૂરાઈ કરે ત્યારે આપણે શું કરવું જોઈએ?

  • એક માણસ અફવા ફેલાવી રહ્યો છે અને બીજા માણસે પત્રકાર જેવા કપડાં પહેર્યા છે અને તે લખી રહ્યો છે.

    બીજાઓ વિશે વાતો કરતા પહેલાં આપણે કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો