સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૯–એપ્રિલ ૧૫)
“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા [ફોન કે પત્ર લખી] રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા હાથોહાથ આપો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો]. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે [અથવા ઓનલાઇન કઈ રીતે જોઈ શકો] એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”
રસ બતાવે તો વીડિયો બતાવો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા મોકલો].
ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?
પહેલી મુલાકાતa (માર્ચ ૧-૧૮, એપ્રિલ ૧૬-૩૦)
સવાલ: તમે વાંચો છો કે હૉસ્પિટલમાં કામ કરતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને મદદ કરે છે ત્યારે, તમને કેવું લાગે છે?
શાસ્ત્રવચન: યોહ ૧૫:૧૩
ફરી મુલાકાત માટે સવાલ: કોઈકે તમને કે તમારા સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?
ફરી મુલાકાતb
સવાલ: કોઈકે તમને કે તમારા સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?
શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮
ફરી મુલાકાત માટે સવાલ: કોઈ વ્યક્તિએ આપણા માટે પોતાનો જીવ આપી દીધો હતો. એ યાદ કરવાના ખાસ કાર્યક્રમનું આમંત્રણ આપી શકું?