ફૂટનોટ
b ઘણા બાઇબલ ટીકાકારોને લાગે છે કે, “ઢાલને તેલ ચોપડો” શબ્દો તો એક પ્રાચીન લશ્કરીય રીતને લાગુ પડે છે. એમાં તેઓ લડાઈ પહેલાં ચામડાંની ઢાલને તેલ ચોપડતા, જેથી એ લીસી બને અને દુશ્મનોના ઘા ચૂકી જવાય. જો કે યશાયાહની ભવિષ્યવાણી સૂચવે છે અને ઇતિહાસ પણ સહમત થાય છે કે, શહેરે હાર ખાધી એ રાત્રે બાબેલોનીઓને લડવાનો પણ મોકો મળ્યો ન હતો, તો પછી લડાઈની તૈયારી કરવા ઢાલ પર તેલ ચોપડવાની વાત તો બાજુએ જ રહી!