ફૂટનોટ
b સાન્હેરીબની હાર પછી, આજુબાજુના દેશો હિઝકીયાહ માટે સોના, ચાંદી, અને બીજી કિંમતી વસ્તુઓની ભેટ લાવ્યા. આપણે ૨ કાળવૃત્તાંત ૩૨:૨૨, ૨૩, ૨૭માં વાંચીએ છીએ કે, “હિઝ્કીયાહને પુષ્કળ દ્રવ્ય તથા માન મળ્યું,” અને “આ સમયથી તે સર્વ પ્રજાઓમાં નામાંકિત થયો.” આ ભેટોને કારણે તે પોતાનો ખજાનાનો ભંડાર ફરીથી ભરી શક્યો હશે, જે તેણે આશ્શૂરીઓને ખંડણી ભરી આપવા ખાલી કરવો પડ્યો હતો.