ફૂટનોટ
a સી. ટી. રસેલના મરણ પછી, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)નો સાતમો ગ્રંથ બહાર પાડવામાં આવ્યો, જેમાં હઝકીએલ અને પ્રકટીકરણની સમજણ આપવાનો પ્રયત્ન થયો હતો. આ ગ્રંથમાં ભાઈ રસેલે એ પુસ્તકો વિષે રજૂ કરેલા વિચારો પણ હતા. છતાં, એ ભવિષ્યવાણીને સમજવાનો સમય હજુ સુધી આવ્યો ન હતો. તેથી, શાસ્ત્રવચનોનો અભ્યાસ (અંગ્રેજી)ના એ ગ્રંથમાંની સમજણ સ્પષ્ટ ન હતી. સમય જતા, યહોવાહની અપાત્ર કૃપા અને જગતમાં બનતા બનાવોએ ખ્રિસ્તીઓને એ પ્રબોધકીય પુસ્તકોની વધારે સ્પષ્ટ સમજણ મેળવવા મદદ કરી છે.