વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

c આખો પત્ર વાંચવા માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી ૧૯૭૪ની યરબુકના પાન ૨૦૮-૨૦૯ પર જુઓ. જાન્યુઆરી ૧, ૧૯૯૮ના ચોકીબુરજના પાન ૨૫-૯ પર આ ક્રૂર સતાવણીમાંથી બચેલા ભાઈનો અનુભવ છે.

શું તમે સમજાવી શકો?

• ખ્રિસ્તીઓ સતાવણીને કઈ રીતે જુએ છે?

• ઈસુ અને બીજી વફાદાર વ્યક્તિઓએ સતાવણી સહન કરી એમાંથી આપણે શું શીખી શકીએ?

• શા માટે આપણે સતાવણીના સમયમાં ઈંટનો જવાબ પથ્થરથી ન આપવો જોઈએ?

• સતાવણીમાં શા માટે ઈસુ આનંદ જાળવી રાખી શક્યા અને આપણે એમાંથી શું શીખી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧. આપણે યહોવાહને સમર્પણ કર્યું હોવાથી, કયો પ્રશ્ન ઊભો થાય છે?

૨. આપણે સતાવણી કે મુશ્કેલીઓને કઈ રીતે જોવી જોઈએ?

૩. સતાવણી સહન કરી હોય એવા કયા દાખલાઓ બાઇબલમાં છે? (પાછળના પાના પર “તેઓએ કઈ રીતે સતાવણીનો સામનો કર્યો” બૉક્સ જુઓ.)

૪. ઈસુ અને વિશ્વાસુ સેવકોના ઉદાહરણમાંથી શું શીખી શકાય?

૫. વર્ષ ૧૯૬૦ના દાયકામાં મલાવીમાં ફાટી નીકળેલી સતાવણીના સમયમાં ભાઈબહેનોએ શું કર્યું?

૬. સખત સતાવણી છતાં, મલાવીના ભાઈબહેનોએ કઈ બાબતો પડતી મૂકી નહિ?

૭, ૮. સતાવણીઓ છતાં કેટલાક લોકો શા માટે બીજા દેશમાં જતા રહેતા નથી?

૯. સતાવણીના લીધે બીજા દેશમાં જવું કે નહિ એ નિર્ણય લેતા પહેલાં, વ્યક્તિએ શું ધ્યાનમાં લેવું જોઈએ?

૧૦. ઈસુ અને પ્રેષિતો પાસેથી બીજું શું શીખી શકીએ?

૧૧. સરકાર પ્રત્યે પ્રથમ સદીના ખ્રિસ્તીઓના વલણ વિષે એક લેખકે શું કહ્યું?

૧૨. ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે શાંતિથી સહન કરવું શા માટે સારું છે?

૧૩. શા માટે ઈસુ વિરોધીઓની સામે થયા નહિ?

૧૪. સતાવણીમાં શા માટે ઈસુ આનંદ જાળવી રાખી શક્યા?

૧૫, ૧૬. સક્સેનહુસેનમાં ભાઈબહેનોએ કેવી ક્રૂર સતાવણી સહન કરી? અને તેઓને સહન કરવાની શક્તિ ક્યાંથી મળી?

૧૭. આપણે કેવા જાતની સતાવણીઓ સહન કરવી પડે છે?

૧૮. ગમે તેટલી મુશ્કેલી આવે તોપણ, આપણે કઈ રીતે સામનો કરી શકીએ?

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

તેઓએ કઈ રીતે સતાવણીનો સામનો કર્યો

• હેરોદે બે વર્ષની અંદરના નર બાળકોને મારી નાખવાની આજ્ઞા આપી. સૈનિકો બેથલેહેમમાં આવે એ પહેલાં, દૂતના માર્ગદર્શનથી યુસફ અને મરિયમ ઈસુને લઈને મિસરમાં જતા રહ્યા.—માત્થી ૨:૧૩-૧૬.

• ઈસુએ પોતાના સેવાકાર્યમાં સત્ય વિષે સાક્ષી આપી. એના લીધે અનેક વાર તેમના દુશ્મનો તેમને મારી નાખવા શોધતા હતા. દરેક સમયે ઈસુ તેઓથી છટકી ગયા.—માત્થી ૨૧:૪૫, ૪૬; લુક ૪:૨૮-૩૦; યોહાન ૮:૫૭-૫૯.

• સૈનિકો અને અધિકારીઓ ગેથસેમાના બાગમાં ઈસુને પકડવા આવ્યા ત્યારે, બે વખત ઈસુએ હિંમતથી તેઓને કહ્યું કે “હું તે છું.” તેમણે શિષ્યોને મારા-મારી કરતા અટકાવ્યા, અને તે શાંતિથી દુશ્મનો સાથે ગયા.—યોહાન ૧૮:૩-૧૨.

• યરૂશાલેમમાં, પીતર અને બીજા પ્રેષિતોને ફટકા મારવામાં આવ્યા. તેમ જ તેઓને ઈસુ વિષેનો પ્રચાર ન કરવાનો હુકમ આપવામાં આવ્યો. તોપણ, ‘તેઓ સભામાંથી ચાલ્યા ગયા. અને તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શિખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦-૪૨.

• પ્રેષિત પાઊલને જાણવા મળ્યું કે દમસ્કના યહુદીઓએ તેમને મારી નાખવાનું કાવતરું કર્યું છે. ત્યારે, ભાઈઓએ પાઊલને ટોપલામાં બેસાડીને કોટ ઉપરથી ઉતારી મૂક્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૨૨-૨૫.

• ગવર્નર ફેસ્તસ અને રાજા એગ્રીપાએ કહ્યું કે પાઊલે “મોત અથવા કેદની સજાને લાયક કંઇ જ ગુનો કર્યો નથી.” તેમ છતાં, પાઊલ સત્ય માટે લડવા માંગતા હતા, આથી તેમણે કૈસરને અપીલ કરવાનું પસંદ કર્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૦-૧૨, ૨૪-૨૭; ૨૬:૩૦-૩૨, IBSI.

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

ક્રૂર સતાવણીમાં નાસી જવાને બદલે, મલાવીના હજારો ભાઈબહેનોએ રાજ્ય સંદેશો જાહેર કરવાનું ચાલુ રાખ્યું

[પાન ૧૭ પર ચિત્ર]

આ વિશ્વાસુ ભાઈબહેનોએ નાઝીની ક્રૂર સતાવણીમાં પણ વફાદાર રહીને આનંદથી યહોવાહનું નામ મોટું મનાવ્યું

[ક્રેડીટ લાઈન]

મરણની મુસાફરી: KZ-Gedenkstätte Dachau, courtesy of the USHMM Photo Archives

[પાન ૧૮ પર ચિત્ર]

મુશ્કેલી કોઈ પણ સંજોગોમાં આવી શકે

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો