ફૂટનોટ
a ચોકીબુરજ જૂન ૧૫, ૧૯૭૮ (અંગ્રેજી) અને ઑક્ટોબર ૧, ૧૯૯૪માં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ. અગાઉ લોહીના અમુક તત્ત્વોની જરૂર પડતી ત્યારે તેઓ લોહીમાંથી એ લેતા. પરંતુ, આજે દવાની ફેક્ટરીઓ લોહી વગર દવાઓ બનાવે છે. જેથી લોહીના જુદા જુદા તત્ત્વોને બદલે એનો ઉપયોગ થઈ શકે.
[પાન ૩૧ પર બોક્સ]
ડૉક્ટરને કેવા પ્રશ્નો પૂછવા?
એવું ઑપરેશન કે સારવાર કરાવવી પડે, જેમાં કદાચ લોહીમાંથી બનેલી દવા વપરાઈ શકે, તો પૂછો:
મને સારવાર આપનાર બધાને ખબર છે કે, હું યહોવાહનો સાક્ષી છું; અને કોઈ પણ સંજોગોમાં હું લોહી (રક્તકણો, શ્વેતકણો, ઠારકણો કે પ્લેટલેટ્સ, અથવા પ્લાઝમા) લઈશ નહિ?
જો પ્લાઝમા, રક્તકણો કે શ્વેતકણો, અથવા ઠારકણોમાંથી બનાવેલી કોઈ દવા તમને લખી આપી હોય તો પૂછો:
શું આ દવા લોહીના કોઈ પણ પ્રકારના તત્ત્વોથી બનેલી છે? જો એમ હોય, તો એના વિષે મને સમજાવશો?
લોહીમાંથી બનેલી એ દવા કેટલી લેવી પડશે, અને એ કઈ રીતે આપશો?
જો મારું અંતઃકરણ આ દવા લેવા દે, તો એમાં કયાં જોખમો રહેલાં છે?
જો મારું અંતઃકરણ એ દવા લેવાની ના પાડે, તો બીજી કઈ કઈ સારવાર છે?
આ વિષે હું સમજી-વિચારીને તમને ક્યારે મારો નિર્ણય જણાવું?