ફૂટનોટ
c મંડળમાં વધારે જવાબદારી માટે યોગ્ય થવા, ભાઈઓ વાણી કે વર્તનથી ‘બીજાઓને દુઃખ પહોંચાડનારા’ હોવા ન જોઈએ. જેમ કે બીજાઓને મારપીટ કરે, કે પછી ડોળા કાઢીને ઊંચે સાદે ધમકાવે. એટલે જ મે ૧, ૧૯૯૧નું ચોકીબુરજ પાન ૧૫ પર આમ જણાવે છે: ‘કોઈ માણસની બહાર જાહેરમાં બહુ સારી છાપ હોય, પણ ઘરમાં તે પત્ની કે બાળકો પર જુલમ કરતો હોય તો, તે વડીલ બનવાને લાયક નથી.’—૧ તીમોથી ૩:૨-૫, ૧૨.