ફૂટનોટ
a હેંરીચ મેયર નામના જર્મન વિદ્વાન કહે છે કે: ‘જોઈ શકાય કે એ સમયે ઈસુ હજી જીવતા હતા. તેમનું શરીર હજી ભાંગવામાં આવ્યું ન હતું અને લોહી પણ વહેવડાવવામાં આવ્યું ન હતું. તેથી, ત્યાં હાજર રહેલાઓએ [શિષ્યોએ] એવું કદી વિચાર્યું નહિ હોય કે તેઓ ખરેખરમાં ઈસુનું શરીર ખાઈ રહ્યા છે કે લોહી પી રહ્યા છે.’ હેંરીચે એમ પણ જણાવ્યું કે રોટલી અને દ્રાક્ષદારૂ વિશે સમજાવવા ઈસુએ ‘સરળ શબ્દો’ વાપર્યા હતા. કારણ કે, ઈસુ ઇચ્છતા ન હતા કે તેમના શિષ્યોને એ વિશે કોઈ ગેરસમજ થાય.