g છેલ્લા દિવસોની ભવિષ્યવાણી વિશે ઈસુએ કહ્યું: “વિદેશીઓના સમયો પૂરા નહિ થશે, ત્યાં સુધી યરુશાલેમ [ઈશ્વરના કહેવાથી રાજ કરતા રાજાઓ] વિદેશીઓથી ખૂંદી નંખાશે.” (લુક ૨૧:૨૪) એ બતાવે છે કે, ઈશ્વરની સત્તા અટકાવવામાં આવી એ સમયગાળો ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ ચાલતો હતો અને છેલ્લા દિવસો સુધી ચાલતો રહેશે.