ફૂટનોટ
a ઈસુએ જ્યારે છેલ્લા દિવસોની નિશાની વિશે જણાવ્યું હતું, ત્યારે તેમણે શિષ્યોને ઘણાં ઉદાહરણો પણ આપ્યાં. એ નોંધપાત્ર છે કે તેમણે સૌથી પહેલા “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ની વાત કરી હતી. (માથ. ૨૪:૪૫-૪૭) એ અભિષિક્ત ભાઈઓથી બનેલો નાનો સમૂહ છે, જે ઈશ્વરભક્તોને દોરવામાં આગેવાની લે છે. ત્યાર બાદ તેમણે એવાં ઉદાહરણો આપ્યાં, જે બધા અભિષિક્તોને લાગુ પડે છે. (માથ. ૨૫:૧-૩૦) છેલ્લે, તેમણે એવા લોકો વિશે વાત કરી, જેઓ અભિષિક્તોને ટેકો આપશે અને પૃથ્વી પર હંમેશ માટે જીવશે. (માથ. ૨૫:૩૧-૪૬) એવી જ રીતે, આપણા સમયમાં હઝકીએલની ભવિષ્યવાણી પૂરી થવા લાગી ત્યારે, સૌ પ્રથમ એ લોકોને લાગુ પડી જેઓ સ્વર્ગમાં જીવવાની આશા રાખે છે. ખરું કે, ઈસ્રાએલના દસ કુળ મોટા ભાગના કિસ્સામાં પૃથ્વી પર હંમેશ જીવવાની આશા રાખનાર લોકોને રજૂ કરતા નથી. પણ, એ ભવિષ્યવાણીમાં જણાવેલી એકતા, પૃથ્વીની આશા ધરાવતા લોકો અને સ્વર્ગની આશા ધરાવતા લોકો વચ્ચે રહેલી એકતાની યાદ અપાવે છે.