ફૂટનોટ
a યોહાન ૭:૫૩-૮:૧૧નો અહેવાલ અમુક બાઇબલ ભાષાંતરોમાં જોવા મળે છે, પણ એ બાઇબલના મૂળ લખાણનો ભાગ ન હતો. અમુક એ કલમો વાંચીને એનો ખોટો અર્થ કાઢે છે. તેઓ કહે છે કે વ્યભિચાર કરનારનો ન્યાય ફક્ત એવી વ્યક્તિ કરી શકે, જેણે પાપ ન કર્યું હોય. પરંતુ, ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમ આપ્યો હતો: “જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રીની સાથે કુકર્મ કરતો માલૂમ પડે, તો તેઓ, એટલે કુકર્મ કરનાર પુરુષ તથા સ્ત્રી, બંને માર્યાં જાય.”—પુન. ૨૨:૨૨.