ફૂટનોટ
a આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે, જ્યાં શેતાનનું રાજ ચાલે છે. શેતાન જૂઠાનો બાપ છે. એટલે સત્યના માર્ગે ચાલવું લોઢાના ચણા ચાવવા જેવું છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ એવી જ મુશ્કેલીનો સામનો કર્યો હતો. તેઓને અને આપણને મદદ મળે માટે યહોવાએ પ્રેરિત યોહાન પાસે ત્રણ પત્રો લખાવ્યા. એ પત્રોમાંથી જાણવા મળે છે કે સત્યના માર્ગે ચાલવા કઈ મુશ્કેલીઓ આવી શકે છે. એમાંથી એ પણ શીખીશું કે એવી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકીએ.