ફૂટનોટ
a કોઈ વ્યક્તિ બાઇબલ અભ્યાસ માટે તૈયાર થાય ત્યારે આપણને ખુશી થાય છે. પણ જો તે ના પાડે તો ઘણું દુઃખ થાય છે. ઘણી વખત વ્યક્તિ અભ્યાસ તો શરૂ કરે છે પણ જીવનમાં ફેરફાર કરતી નથી. અમુક વાર આપણે ઘણા લોકોને શીખવીએ છીએ, પણ કોઈ બાપ્તિસ્મા લેતું નથી. તો શું એનો અર્થ એવો થાય કે આપણી મહેનત નકામી ગઈ? આ લેખમાં જોઈશું કે લોકો સાંભળે કે ન સાંભળે આપણે કઈ રીતે પ્રચારમાં સફળ થઈ શકીએ અને ખુશ રહી શકીએ.