ફૂટનોટ
a સ્મરણપ્રસંગના સમયગાળામાં આપણે ઈસુના જીવન અને બલિદાન પર ઊંડો વિચાર કરવો જોઈએ. ઈસુ અને યહોવા આપણને કેટલો પ્રેમ કરે છે, એનો પણ વિચાર કરવો જોઈએ. એમ કરવાથી તેઓ માટે આપણી કદર વધશે. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે બતાવી શકીએ કે ઈસુના બલિદાનની કદર કરીએ છીએ અને યહોવા તેમજ ઈસુને પ્રેમ કરીએ છીએ. એ પણ જોઈશું કે કઈ રીતે ભાઈ-બહેનોને પ્રેમ બતાવી શકીએ, હિંમત રાખી શકીએ અને યહોવાની ભક્તિ કરવાથી આનંદ મેળવી શકીએ.