ફૂટનોટ
a ઈસુના ચમત્કારો વિશે વાંચીએ છીએ ત્યારે, આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. દાખલા તરીકે, તેમણે મોટા તોફાનને શાંત કર્યું, બીમાર લોકોને સાજા કર્યા અને ગુજરી ગયેલાઓને જીવતા કર્યા. આ ચમત્કારો આપણને મજા આવે એટલે નહિ, પણ એમાંથી આપણે કંઈક શીખી શકીએ એટલે નોંધવામાં આવ્યા છે. આ લેખમાં આપણે ઈસુએ કરેલા અમુક ચમત્કારો વિશે જોઈશું. એમાંથી યહોવા અને ઈસુ વિશે અમુક વાતો શીખીશું, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. આપણે અમુક ગુણો વિશે પણ શીખીશું, જે આપણે કેળવવા જોઈએ.